SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૪ શિથિલીકરણ* કાયાને કલાન્ત કરતી અને મનને ક્ષુબ્ધ કરતી કેઈ પણ પ્રવૃત્તિ પછી સ્વસ્થ અને શાન્ત થવા માટે “શિથિલીકરણની પ્રક્રિયા અતિ ઉપયેગી માલુમ પડી છે. “શિથિલીકરણ” એટલે દેહની અવસ્થા છે જેમાં આકુંચન, પ્રસારણ તથા હલન-ચલન કે ઉમેષ-નિમેષાદિ સ્નાથ્વિક વ્યાપારો બંધ પડી જાય છે; છતાં દેહ તેમાં સીધો અને સરલ હોય છે. શરીરની પ્રવૃત્તિ અને તેનું મમત્વ–આ બન્ને શરીર અને મનને તંગદશામાં (તનાવમાં) રાખે છે. તેથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તનાવ જે આ યુગને રેગ છે, તેને નાબુદ કરવા માટે “શિથિલીકરણ બહુ જ ઉપયોગી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમની “અગવ્યવહેદ” નામની દ્વાર્જિલિકાસ્તુતિમાં જિનમુદ્રાની વિશેષતા દર્શાવતાં એક શ્લોકમાં જણાવે * શિથિલીકરણ”—શારીરિકશ્રમ તથા માનસિક આવેગે અને ઉપઆવેગેનું શમન કરી સ્નાયુઓના તનાવને દૂર કરવાની આ એક પ્રાથમિક ક્રિયા છે; મૂળ સાધના કે ક્રિયાનું અંગ નથી. તેથી “શિથિલીકરણ” કર્યા વિના પણ “કાયોત્સર્ગ થઈ શકે છે, પરંતુ “શિથિલીકરણ કરવાથી “કાયોત્સર્ગની સાધનામાં અનુકૂળતા રહે છે. શિથિલીકરણની ક્રિયાથી પ્રાપ્ત થતા શારીરિક-માનસિક બધા લાભો કાયોત્સર્ગની ક્રિયાથી આનુષંગિક રીતે જ મળી જાય છે; ઉપરાંત બોધિ, સમાધિ અને સિદ્ધિ પર્વતના લાભો મળે છે. કાયોત્સર્ગ' કેવળ શારીરિક કે માનસિક દષ્ટિએ કરવાથી આધ્યાત્મિક લાભ મળતો નથી અને ભૌતિક–લાભ સંદિગ્ધ રહે છે; માટે “કાયેત્સગ” કર્મક્ષયની દષ્ટિએ જ કરવો જોઈએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy