SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ પ૭ સ્ફટિક-રત્ન સમાન સ્વરૂપવાળા, લેકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ થયેલા, આત્મસુખ–સંપત્તિઓને વહન કરતા અર્થાત્ અનુભવતા વળી જે મને હવે કઈ પ્રકારની બાધા ઉત્પન્ન થવાની નથી જ, જેમણે કર્મ-કાદવને દૂર કરે છે, એવા સિદ્ધોનું ધ્યાન કરવું.” આ બીજા ધ્યેયના અભ્યાસથી તેમના દર્શનની પ્રાપ્તિ થાય છે-કેની જેમ? તે કે “સ્વચ્છ આકાશવાળા ઘરમાં દીવે અંદર રહેલો હોય, તે બહાર રહેલાને જેમ દર્શન થાય, તેવી રીતે તેવા આત્માને ધ્યાનગ દ્વારા સિદ્ધ પરમાત્માનાં દર્શન થાય છે.” (“ઉપદેશપદ–ભાષાંતર, પૃ. પર૭ અને પર૮; શ્લોક ૮૯૦ થી ૯૮ ની ટીકા). આ પ્રમાણે એક રાણી અને એક જૈન ગીતાથ આચાર્ય મહારાજ વચ્ચે જૈન-મતના ધ્યાનમાર્ગ વિષે સંવાદ “ઉપદેશપદ' ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં અરિહંત ભગવંત, જે કેવલી થયા છે, તેમની સાથે વિહાર-કાલ સુધી અનુસરતી સાડાત્રણ કલા એ વસ્તુતઃ અઘાતિકર્મો – પ્રશસ્તકર્મો છે. ચતુર્વિશતિ-જિનનામ-સ્તુતિમાં વીસ જિનનાં નામની વ્યવસ્થા એવા પ્રકારે રચવામાં આવી છે કે ધાતા સ્વકીય દેહમાં તે તે નામનું રટણ જુદા જુદા સ્થાન પર સ્થાપીને સાડાત્રણ વલયમાં પૂરું કરી શકે છે. તે આ સાથે આપેલા ચિત્ર ઉપરથી સમજી શકાશે. (જુઓ : પૃ. ૨૪). ઉપર જણાવ્યા પ્રમાણે “યથાથ નામના વેગવાળા હોવાથી અરિહંત ભગવંતોના પ્રશસ્ત નામે દ્વારા પંડિત પુરુષો તેમનું કીર્તન કરે છે. તે કીતન રૂપસ્થ ધ્યાનથી થાય છે. આ સ્થાન ઉપર જણાવ્યા પ્રમાણે સંપૂર્ણ શરચંદ્ર સમાન આહલાદક વદનવાળા, સિંહાસન પર વિરાજમાન પરિવાર સહિત, કેવલજ્ઞાનથી ઉજજવલ અને ઉજવેલ વર્ણવાળા એવા વીતરાગ જિનેન્દ્રનું ધ્યાન કરવાથી થાય છે. ત્યારપછી “રૂપાતીત ધ્યાન” પણ દર્શાવવામાં આવ્યું છે. તે ધ્યાન અનંત દશન, અનંત જ્ઞાન, સમ્યકત્વ વગેરે ગુણેથી યુકત એવું પિતાનું અસલ આત્મ-સ્વરૂપ જેમણે જાતે ઉપાર્જન કરેલું છે, ત્યારપછી જેમણે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy