SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ ૯૮ થી ૨૦૧, ૫૯૫ થી ૬૧૯, ૭૩૩ થી ૩૬ અને ૭૭૧ થી ૭૯૧ તથા ભાગ–૩, પૃષ્ઠ ૭૦૬ થી ૭૨૧ માં જોવા મળશે. અરિહંત-ચેઇયાણું ’- સૂત્રને ઉદ્દેશ અરિહંત પરમાત્માના સમ્યક્ પિરભાવન દ્વારા પરમાત્માના રવરૂપનું ચિતન કરવાના છે. સ્વરૂપ-ચિંતનના વિષય તરીકે અરિહંત પરમાત્માના જીવનની વિશિષ્ટ ષડું-અવસ્થાઓને ગ્રહણ કરવામાં આવી છે. વંદન-પૂજન-સત્કાર-સન્માન આદિ ભાવ અવસ્થાઓનું સંવેદન કરવાનું અને તે દ્વારા ચિત્તની ભાવશુદ્ધિ કરવાના માર્ગ તે. દર્શાવવામાં આવ્યા છે. જિનેશ્વર પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિભાવ ન હોય તો સમ્યક્ પિરભાવન થઈ શકે નહીં. ચિત્ત એ ઉપાસના માટેનું કરણ-સાધન છે. તે શુદ્ધ અને સુદૃઢ ન હોય ત્યાં સુધી નિર્મળ ભાવોનું ઉત્કૃષ્ટ સંવેદન કરવાની પાત્રતા તેમાં આવતી નથી. ચિત્ત સુપાત્ર બને તે અર્થે ચાગાદિ અભ્યાસની આવશ્યકતા ઉપર આ ગ્રંથમાં ભાર મૂકવામાં આવ્યા છે. જિનેશ્વરના મંગલમય જીવનની ષડ્ અવસ્થાએ એ પ્રકારે સમ્યક્ પરિભાવનનો વિષય બની શકે છે. નિર્દિષ્ટ સૂરિમંત્ર દ્વારા અથવા ચિત્તમાં-તાદૃશ ભાસે તેવા વિષયનાં સ્મરણ દ્વારા, સ્મરણમાં ધ્યેયને ઉપસ્થિત કરવા માટે ચિંતનની સામગ્રી જોઇ એ–સદ્ભાગ્યે આગમ પ્રમાણિત સ્વરૂપમાં અરિહંત પરમાત્માના ૧૦૮ ભાવવંદના અર્હન્નમસ્કારાવલિકા’માં મળે છે. નામની પણ જેઓને સ્પૃહા ન હતી તેવા મહાન પૂર્વાચાયની આ કૃતિ આ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘ નમસ્કાર સ્વાધ્યાય ’ પ્રાકૃત-વિભાગમાં સંગૃહીત કરીને તેઓને ઉપકાર માનવામાં આપ્યા છે. આ કૃતિના વાચનથી શ્રી ચંદુલાલ શકરચંદ શાહના હૃદયમાં અદ્દભુત ભકિતભાવ પ્રગટ થયા અને તેઓએ ‘ હરિગીત’માં ‘અરિહંતવંદનાવલીની મૂળના આધારે રચના કરી, તે સમ્યક્ પરિભાવન માટે ઉપયોગી જણાતા આ રચનાના લેખકના ઋણના સ્વીકાર કરીને અમે બીજા વિભાગના પરિશિષ્ટ-ર માં સમાવિષ્ટ કરી છે. કેવે સાનુકૂળ યોગાનુયોગ ! આજે ચેાગ અને ધ્યાનના વિષયમાં જે વિશાળ સાહિત્ય બહાર પડી રહ્યું છે તેમાં શિક્ષિતવર્ગમાં જાગૃત થયેલી અભિરુચિ કારણરૂપ રહેલી છે. અનેક ધ્યાન–પ્રણાલિકાએ લેક સમક્ષ રજૂ થઈ રહી છે ત્યારે જૈને પાસે મૌલિક અને વિશિષ્ટ એવી કોઈ ધ્યાન–પ્રણાલિકા છે ખરી ? એ પ્રશ્ન ઊભા થાય તે સ્વાભાવિક છે. સ્વાનુભૂતિમાં પરિણમી શકે તેવા ધ્યાનમાગ જ અંતે તે લેાક સ્વીકૃતિ મેળવી શકશે. સત્ય શેાધવા માટે શાસ્ત્રસંમત ધ્યાનમાર્ગનું જે નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે તે 8 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy