SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કાન્સ ધ્યાન શ્રી વજૂધર રચેલા ભવ્ય આસન ઉપરે, બેસી અલંકાર ત્યજે દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિ લેચ કરતા કેશ વિભુ નિજ કર વડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૭ કાગ્રગત ભગવંત સવે સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપગનાં કરે પચ્ચકખાણને જે જ્ઞાન દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૮ નિર્મળ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનસહ જે દીપતા, જે પંચ સમિતિ ગુણિત્રયની રયણુમાળા ધારતા દશ ભેદથી જે શ્રમણસુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૧૯ પુષ્કર-કમલના પત્રની ભાંતિ નહીં લેપાય છે, ને જીવની માફક અપ્રતિત વરગતિએ વિચરે; આકાશની જ્યમ નિરાલંબન ગુણ થકી જે ઓપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૦ તે અખલિત વાયુસમૂહની જેમ જે નિબંધ છે, સંગે પિતાંગઉપાંગ જેને ગુપ્ત ઈન્દ્રિય દેહ છે; નિઃસંગતાય વિહંગ શી જેના અમૂલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૧ ખર્શી તણું વરગ જેવા ભાવથી એકાકી જે, ભારંડ પંખી સરિખા ગુણવાન અપ્રમત્ત છે; વ્રતભાર વહેતા વરવૃષભની જેમ જેહ સમથ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૨ કુંજર સમા શૂરવીર જે છે સિંહ સમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી જેના હદયને છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૨૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy