SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ અરિહંત વંદનાવલી* [પદ્યાનુવાદ ] [ રચયિતાઃ શ્રી ચંદુલાલ શકરચંદ શાહ] ( છંદ હરિગીત) જે ચૌદ મહાસ્વને થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલાં જ ચોસઠ ઈંદ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧ મહાગના અભ્યાસમાં જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણ લેકમાં મહાસ્ય સમ પ્રકાશતા; જે જન્મકલ્યાણક વડે સૌ જીવને સુખ આપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨ મૂળ સ્તુતિ “અમારાત્રિા ” પ્રાકૃત ભાષામાં ગદ્યમાં છે. આ તેનો “હરિગીત” છંદમાં ભાવવાહી પદ્યાનુવાદ છે, જે અરિહંત પરમાત્માના ચરમભવની વિશિષ્ટ અવસ્થાઓના સભ્ય–પરિભાવને માટે અત્યંત ઉપયોગી છે. મૂળ પ્રાકૃત-સ્તુતિના કર્તા વિષે કઈ માહિતી મળી શકી નથી. કેઈ મહાન પૂર્વાચાર્યો અરિહંત પરમાત્માના વિશિષ્ટ પ્રકારના ધ્યાન માટે આ ગ્રંથની રચના કરી હોય એમ લાગે છે. આ રચના જ કહી આપે છે કે તેના રચયિતા બહુશ્રુત હતા. આ ગ્રંથમાં અરિહંત પરમાત્માની ૧૦૮ વિશિષ્ટ અવસ્થાઓનું મૂલ આગમ સદશ ભાષામાં સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. ધ્યાન માટે આ વર્ણન ઉપયુકત લાગે છે કારણ કે અરિહંત ભગવંતના નામાદિ ચારેય નિક્ષેપાઓ તથા 'પિંડસ્થાદિ ત્રણેય અવસ્થાઓ ધ્યેય છે. (જુઓ : “નમજ્જર દ્વારા પ્રાકૃત વિમા , g૦ ૨૮૪ થી ૧૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy