________________ લેખક પરિચય આ પુસ્તિકાના રજાઆતકાર શ્રી યંબકલાલ ઉ. મહેતા (ઉ.વ. 87 વર્ષ) હિમાચલ હાઇકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ છે અને પોતાની નિવૃત્તિ બાદ ગુજરાતમાં જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. નિવૃત્તિ બાદ તેમની મુખ્ય પ્રવૃત્તિ વાંચન-લેખનની રહેલ છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ પંચાવન વરસ પહેલાં સ્થાપેલ ભા.ન. પ્રા. સંઘના પ્રમુખ છે. તેઓ મુનિશ્રી સંતબાલજીએ શરૂ કરેલ ‘‘વિશ્વવાત્સલ્ય” માસિકના સંપાદક મંડળના સભ્ય છે અને વિશ્વમાં પ્રચલિત ધર્મોના તેમજ ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી છે. તેમની રચનાઓ નીચે મુજબ છે. 1. પાથ ઓફ અત્ (અંગ્રેજીમાં) જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી. 2. સંતબાલ - એ સેઇન્ટ વીથ આ ડિફરન્સ (અંગ્રેજી) મુનિશ્રી સંતબાલજીનું જીવન તથા પ્રેરક પ્રસંગો . 3. સંતબાલ, એક અનોખી માટીના સંત - ઉપરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ - અનુવાદક શ્રી મગનભાઇ પટેલ. 4. આનંદધન સ્તવનો (ગુજરાતી) અવધૂત શ્રી આનંદઘનજીએ બાવીસ તીર્થંકર ઉપર રચેલ સ્તવનોનું વિવેચન. ઉત્તરાધ્યયન - સાર - ભગવાન મહાવીરે આપેલ અંતિમ ઉપદેશની ગાથાઓ અંગેનું વિવેચન. જૈનદર્શનની રૂપરેખા - જૈનદર્શનના દરેક પાયાના સિદ્ધાંતોની સાદી સમજ. 7. વોટ ઇઝ જૈનીઝમ (અંગ્રેજી) - પ્રશ્નોત્તરી રૂપે જૈન સિદ્ધાંતોની અંગ્રેજી ભાષામાં સમજ. 8. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજી) આ કાનૂનની અંગ્રેજીમાં કાનૂની દષ્ટિએ વકીલો તથા કોર્ટોને ઉપયોગી ટીકા. 9. ઇસ્લામનું રહસ્ય સૂફીઝમ (ગુજરાતી) 10. મોક્ષ માર્ગના પગથિયા (ગુજરાતી) શ્રીમદ્જીના “અપૂર્વ અવસર”નું વિવેચન 11. સામાયિક સૂત્રો. નીચેની રચનાઓ પ્રકાશિત કરવાની યોજના છે. (1) અનેકાન્તવાદની જીવનમાં ઉપયોગિતા. (2) ગુજરાતની અસ્મિતા (આદિકાળથી શરૂ કરી મરાઠાકાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ) (3) સોક્રેટિસ પૂર્વેના ગ્રીક ફીલસૂફો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org