________________
ગાથા
થતાં પ્રભુજી ક્રિયમાણ શુધ્ધ, ને શીઘ્ર પ્રારબ્ધ પડો વીંખાશે, વંટોળમાં મુજ નાવ ડોલે, તો આપજો આપ એક ટેકો (૪૩) ક્રિયમાણ એટલે કર્મબંધ - તે કર્મબંધ છુટ્ટે ત્યારે પ્રારબષ્ના તમામ પડો વીંખાશે - આત્માની શુધ્ધિ માટે - પરંતુ તે પ્રક્રિયામાં જો મારી માનસ સ્થિતિ સમતુલતા ગુમાવે તો હે, પ્રભુજી, મને ટેકો આપજો.
નિથતા આંતર બાહ્ય સાધી, નિર્લેપ થઈ બંધન સર્વટાળી, પામી પ્રભુ કેવળ જ્ઞાન પૂર્ણ, ધ્યેયાકૃત્તિરૂપ બનું અનંત (૪૪) અથાર્ત : મારા અંતરની અને બહારની તમામ ગ્રંથીઓથી મુક્ત થઈ, બધા કર્મ બંધનોને ટાળી અનંત, જ્ઞાન રૂપ કૈવલ્યને પ્રાપ્ત કરવાના મારા ધ્યેયને મેળવું તેવી ભાવના છે.
અથાર્ત :
ગાથા
આ અંગે મુનિશ્રી જણાવે છે કે ‘‘આપણે મનુષ્ય તરીકે આખા વિશ્વ સાથે સંકળાયેલા છીએ અને વ્યક્તિની અસર વિશ્વને થયા વગર રહેતી નથી.... ભૌતિક દ્રષ્ટિથી કેવળ આજે વિચાર્યે નહી ચાલે.'' આજની પરિસ્થિતિમાં ભૌતિકવાદ બહુ વ્યાપ્યો છે. ભોગવિલાસની દ્રષ્ટિ વધે એટલે આત્મા ભુલાઈ જાય.... ચિત્તમાં આવેગો, વિકૃત્તિઓ ન ઉદ્દભવે એવું સમતોલ, શાંત અને સ્વસ્થ તેને કરતા રહેવું"
ગાથા
અચલ અક્ષર ધામ નિરામય, શિવ સનાતન સ્થાન સુનિર્ભય, અપુનરાવૃતીયુક્ત દશા જ એ, પરમ મુક્તિ સુબોધી બીજે ફળે. (૪૫) અથાર્ત કૈવલ્યની પ્રાપ્તિ બાદ જે સ્થિતિ આત્માની થાય છે. તેનું અહિં વર્ણન છે. તે આત્મા ચલાયમાન ન થાય તેવો, અવિનશ્વર, આરોગ્ય પૂર્ણ, કલ્યાણકારી, અનાદિ, નિર્ભય, અને જ્યાંથી પુનઃ સંસાર ભ્રમણ થતુ નથી. તેવી દશામાં, રહેલ પ૨મ મુક્તિને પામે છે, પરંતુ તેવી મુક્તિ ક્રમે ક્રમે અમુક (ત્રણ થી ચાર ) ભવે ફળે છે. (૪૫)
નોંધ :
:
મુનિશ્રી કહે છે. ‘જીવ જેનું ધ્યાન ધરે છે, તે રૂપ તે બને છે. એ પછી એની શું સ્થિતિ થાય છે તેનો ખ્યાલ આ ગાથા આપે છે.
19
33
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org