________________
ગાથા
અથાર્ત :
નોંધ :
‘‘સંવર’” તે ક્રિયાને કહેવાય છે કે જેથી નવા કર્મોની સરવાણી બંધ થાય. જે આત્માએ બાર વ્રત તથા સમિતિ ગુપ્તિઓને યોગ્ય રીતે આરાધી હોય તે મદહું અંશે નવા કર્મનું ઉપાર્જન અટકાવે છે.
‘‘સમ્યક્ત્વ” સમતા તથા શ્રેય પ્રાપ્તિ જેનો ઉલ્લેખ ગાથા-૪૦ માં આવી ગયો.
‘‘કેવલી’’ એટલે જે આત્માને શુધ્ધ જ્ઞાન દર્શન તથા ચારિત્ર્ય પ્રાપ્ત થયેલ છે. અને જેનામાં જ્ઞાતા દ્રષ્ટા સીવાય બીજા કોઈ પણ ભાવ
રહેલ નથી તે આત્મા, જેવા કે તિર્થંકરો.
-
હવે ગાથા ૪૧ એમ કહે છે કે જે આત્માને સમયક્તવ પ્રાપ્ત થયું હોય છે, તે સજીવે સંસારમાં હોવાથી તેને કર્મોપાર્જન તો થાય છે. એટલે આન્નવસ્થાનો સંપૂર્ણ બંધ થતા નથી. પરંતુ તેવી વ્યક્તિનું વલણ જીવનના તમામ પ્રશ્નોમાં તદન નિરપેક્ષ, નિ:સ્વાર્થ અને વિતરાગી અવસ્થાનું હોવાથી તેના આસ્રવસ્થાનો સંવર જેવા જ બને છે. એટલે કે તેને કર્મ બંધન થતું નથી અગર જો થાય છે તો એવું પાતળું હોય છે કે જે તુરત ખરી પડે છે. અરિહંત ભગવંતોની આ સ્થિતી હોય છે.
સૌ ઓધસંશા અળગી કરીને, ને લોકસંજ્ઞા સઘળી તરીને, પ્રમાદ હીણા ઉપયોગ યોગે, શમવું પે'લા ચિત્તવૃતિ વેગ (૪૨) તમામ પ્રકારની "ઓધસંજ્ઞા" એટલે ટોળાશાહી - ગાડરીઓ પ્રવાહ તથા " લોકસંજ્ઞા" (એટલે લૌકિક કામના) થી દૂર રહીને પ્રમાદ રહીતના પુરૂષાર્થથી મારા ચિત્તના આવેગો શમાવું.
–
જીવનના દરેક કાર્યોમાં - સામાજિક, રાજકીય કે ધાર્મિક તમામ કાર્યોમાં માનવ સમાજ ચિલા - ચાલુ, પ્રણાલિકાને અનુસરતો હોય છે. મૌલિક વિચાર કરી ક્રાન્તિકારી પગલું ભરવાવાળી વિરલ વ્યક્તિઓ હોય છે. તેવી વિરલ વ્યક્તિના પુરૂષાર્થનો અહિં ઉલ્લેખ છે.
૩૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org