________________
જ
આ
ગાથા
ચાર શિક્ષાવતો સમત્વ સામાયિક અંગ યોગ, પ્રસન્ન ચિત્તે ફળ તો પ્રયોગ, વિશુધ્ધ એકાન્ત નિવૃત સ્થાને, દેઢાસને આત્મીય ચિંતનાથી (૩૨) દેશાવકાશિક વ્રતે વધીને સર્વેવ્રતો પૌષધમાં રહેલા, ક્રમે ક્રમે આત્મ નિમજ્જતામાં, સંસારના બંધ શિથિલ થાતા (૩૩) ત્રણે વ્રતોનો રિપુ છે પ્રમાદ, નિંદા, સમા નિર્દય બાણ ફેંકે,
તે બાણથી ચિત ઘવાય ત્યારે સંસારના બંધ નિબિડ થાયે (૩૪) અથાર્ત : પ્રથમ શિક્ષાવ્રત જે સામાયિક છે તેનો પ્રયોગ પ્રસન્ન ચિતથી વિશુધ્ધ,
એકાન્ત અને નિવૃત્ત સ્થાને બેસીને કરવો. તમામ અંગોને એકાકાર કરવાનો આ યોગ છે. (અંગ યોગ) તેથી દ્રઢાસને સ્થીર) બેસીને આત્મ ચિંતન કરવું, (૩૨) બીજું શિક્ષાવ્રત દેશાવકાશિકનું છે. જે આગળ વધીને પૌષધવ્રતમાં પરિણમે છે. સર્વવ્રતો (ગૃહસ્થના તમામ બાર વ્રતો) નો સમાવેશ પૌષધ વ્રતમાં થાય છે અને તેથી ક્રમે ક્રમે આત્મ ચિંતનમાં જ વ્યક્તિ ડુબેલી રહે છે. અને સંસારના બંધનો ઢીલા થાય છે. (૩૩) આ ત્રણે વ્રતો (સામાયિક, દેશાવકાશિક અને પૌષધ) નો દુશ્મન પ્રમાદ છે, જેને પરિણામે નિંદા (સદ્ગુણો અને સદ વ્યક્તિઓની) વૃત્તિનો અવકાશ વધે છે જેથી ચિતા ઘવાય છે અને સંસારના બંધ અતિ ગાઢા
થાય છે. (૩૪). નોધ : સામાયિકનો હેતુ સમત્વ પ્રાપ્ત કરવાનો છે. જે મુખ્યત્વે કાર્યોત્સર્ગ
કરવાની ધ્યાન ધરવાની વિધિ જ છે. આ વિધિ શાંત અશુધ્ધ ચિત થાય તે માટે પ્રથમ નવકાર મંત્ર બાદમાં સાધુવંદના તથા ચોવીસ તિર્થકરોને વંદના (લોગસ્સ) તથા તિર્થંકર દેવોના ગુણો તથા અતિશયોનું વર્ણન વગેરે આવે છે. તે તો ફક્ત ચિત્ત શુદ્ધિ માટે છે. પરંતુ તેમાં કાયોત્સર્ગ - ધ્યાન - નો હેતુ મુખ્ય છે. કાર્યોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ - કાયાને તથા કાયાના પરિણામોને ભૂલી જઈ આત્મ સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે સામાયિક થાય. (કાયોત્સર્ગની વિધી બાબતમાં આ પુસ્તકના પા. ૭ થી પા. ૧૦ જુઓ.)
૨૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org