________________
જઈને સ્થાનિક પ્રજાને ચૂસી શકે તેવી શક્યતા પણ નથી. ઉલ્ટાનું અમેરીકા જેવા દેશોએ તો પરદેશીઓને વસાવી પોતાના દેશની પ્રગતિને વિકસાવી છે.
મુનિશ્રીને પણ આ પરિસ્થિતિનું જ્ઞાન હોય તેમ જણાય છે જે તેમના નીચેના કથન પરથી જણાય છે ‘‘આજનું જગત વિજ્ઞાન પુત્ર છે, તેથી માણસને બીજે જવું સહેલું બની ગયું છે. પરદેશી સત્તા આમાં ઘણી કારણભૂત બની છે. આફ્રિકામાં ઘણા લોકો ગયા છે. કમાવા માટે... આમ આપણે કમાંવા ભલે ગયા, પણ ત્યાંના લોકો માટે કાંઈ કરીએ નહીં તો વતનીઓ ધૃણા કરે તે સ્વાભાવિક છે... ભલે ગયા પણ જ્યાંથી રોટલો મેળવ્યો ત્યાંની પ્રજા માટે કાંઇક કરવું જોઈએ. આથી સ્વ. અને પરનું કલ્યાણ થાય છે.’’
જે દેશમાં અર્થોપાર્જન કર્યું તે અર્થોપાર્જન ઉપર તે દેશનો હક્ક પ્રથમ પહોચે છે તે સિધ્ધાંતનો સ્વીકાર હોયતો જ વતન છોડીને બીજા વતનમાં ધંધાર્થે જવું તે જાતનો અર્થ ‘‘દિશાની મર્યાદા'' શબ્દોને મુકીએ તો યથાર્થ થશે.
ભોગ ઉપભોગની મર્યાદા વિના અપરિગ્રહનું વ્રત પાળવું શક્ય જ નથી. આર્થિક દ્રષ્ટિએ પણ આ મર્યાદા જરૂરી છે કારણ કે બીન જરૂરી વસ્તુઓ ફક્ત શોખને ખાતર કે શ્રીમંતાઈનો દેખાવ કરવા ખાતર ભેગી કરવાથી કાચા માલનો દુરુપયોગ વધે છે. અને બજાર ભાવો અસમતુલ બને છે. મુનીશ્રી જણાવે છે ‘‘જૈનોએ આ સાતમા વ્રતમા (ભોગોપભોગના વ્રતમાં) વિચાર કર્યો છે કે નાનામાં નાની ચીજનો પણ દુરૂપયોગ ન થાય. ગાંધીજી એક માટીના ઢેફાને પણ જરૂર કરતાં વધુ ન વાપરતા. ખાવાની પીવાની પહેરવાની, ઓઢવાની બધી સામગ્રી હોય પણ તેમાંથી ઉપયોગ પુરતી જ વાપરવી બાકીની છોડી દેવી તે સાચી ટ્રસ્ટીશીપ છે.’’
Jain Education International 2010_04
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org