SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે પ્રતિક્રમણ. આમાં કોઇ સાંપ્રદાયિક વાત નથી આત્મ નિરક્ષણ તો હંમેશાં વ્યક્તિગત હોય છે. અને તેથી આ પ્રતિક્રમણની પ્રક્રિયા ફકત જૈન સમાજની જ છે તેવી માન્યતા પણ ભૂલ ભરેલ છે. તેની વિશેષ પ્રતિતિ તો સંતબાલજીએ રચેલ વંદિત્તુ નો અભ્યાસ કરવાથીજ થશે, અને હરકોઇ આત્માર્થી ચિંતકને ખાત્રી થશે કે પ્રતિક્રમણ કરવું તે કોઇ સાંપ્રદાયિક પ્રક્રિયા નથી. વંદિત્તુ પ્રતિક્રમણની વિશેષતા એ છે કે તેમાં ફકત આત્મ નિરિક્ષણની જ વાત છે ‘ઇશ્વર” નામની કોઇ બાહ્ય સત્તાને પાપ મુક્તિની કોઇ આજીજી નથી કારણ કે આત્મ નિરિક્ષણ મારફત આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવાનું જ એક માત્ર ધ્યેય દરેક સાધકનું હોવું જોઇએ તેવો જૈન દર્શનનો આગ્રહ છે આ પ્રતિક્રમણમાં કુલ ૪૮ ગાથાઓ છે જેમાં ગૃહસ્થ જીવવના વ્યવહારમાં જે જે દોષો થવા સંભવ છે તે તમામને આવરી લેવામાં આવેલ છે અને તેમાંથી પરિક્રમી તે ફરીથી ઉત્પન્ન થતાં અટકે ને જાતનો નિશ્ચય દરેક જીવને થાય તેવો પ્રયત્ન કરવામાં આવેલ છે. ગાથા નં. ૧-૨ માં જે આત્માઓએ વિતરાગ સ્થિતિ પ્રાપ્ત કરી છે તેમને વંદના કરીને શરૂઆત કરવામાં આવેલ છે. ,, ગાથા નં. ૩-૪ માં ‘“ દર્શન, જ્ઞાન, ચારિત્ર ' અંગેના દોષોનું નિરીક્ષણ છે. ગાથા નં. ૫-૬-૭ માં આત્માને ‘“ કર્મબંધ '' કેવી રીતે થાય છે તે સજાવવામાં આવેલ છે. અને ત્યારબાદ ગાથા નં. ૮ થી ૧૩ માં “ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ’ ના દોષો વિચારીને તેમાંથી પ્રતિક્રમણ (પાછા ફરવા) નો નિર્ધાર વ્યકત થયેલ છે. ત્યારબાદ ગાથા નં. ૧૪-૧૫ ગૃહસ્થના બાર વ્રતો અંગે થયેલ ક્ષતિઓમાંથી પ્રતિક્રમણની વાત આવે છે. ત્યારબાદ ગાથાઓમાં ગૃહસ્થ જીવનમાં પાળવાના દરેક અણુવ્રત બાબત કાંઈ ક્ષતિ થઇ હોય તેમાંથી પ્રતિક્રમણનો ઉલ્લેખ છે. આથી ગાથા નં. ૧૬-૧૭-૧૮ માં અહિંસા ૧૯-૨૦ માં સત્ય, ૨૧-૨૨ માં અદત્તાદાન (અચૌર્ય), ૨૩-૨૪-૨૫ (અ), ૨૫ (બ) માં બ્રહ્મચર્ય અને ૨૬-૨૭ માં અપરિગ્રહ વિશેના દોષોનો ઉલ્લેખ છે. ત્યારબાદ ત્રણ ગુણ વ્રતો અને ચાર શિક્ષાવ્રતો આવે છે. જે બાબતમાં ગાથા નં. ૨૮-૨૯-૩૦-૩૧ (ગુણવ્રત્તો) અને નં. ૩૨-૩૩-૩૪ (શિક્ષાવ્રત્તો) બાબત છે. ગાથા ૩૫-૩૬-૩૦ અને ૩૮ સમત્વભાવ કેળવવા અંગે છે. ૫ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004594
Book TitleVandittu Pratikraman
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherNeki Pankaj Shah Florida USA
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy