________________
જીવનભર તનતોડ મહેનત કરી. જૈન તેમજ જૈનેતર સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી તેમાં રહેલ સાર તત્વોને કાંઇ પણ આંચ લાવ્યા વિના આધુનિક સમાજની વિષમતાઓને નિવારવાના ઉપાયો તેમણે સૂચવ્યા.
પ્રતિક્રમણની ક્રિયાને તેમણે એ રીતે વંદિત્તુમાં સમજાવેલ છે કે અસલ વ્યવહાર માં વપરાતા અર્ધ - માગર્ષિ ગાથાઓના સાર તત્વને જરાપણ આંચ ન આવે અને છતાં આધુનિક યુગના ગૃહસ્થીઓને સાંપ્રદાયિક સંકુચિતતામાંથી બહાર કાઢીને એક શ્રેષ્ઠ નાગરિક તરીકે ઘડે.
પ્રતિક્રમણ એટલે શું ? તે સમજાવતા કહ્યું છે. :
स्वस्थानात् यत् परस्थानं, प्रमादस्य वशम् गतः । भूयः, प्रतिक्रमणम् उच्यते ॥
तत्रेय क्रमणं भूयः,
અર્થાત ઃ- આત્મા પ્રમાદવશ પોતાના સ્થાનમાંથી પરસ્થાનમાં ગયો હોય ત્યાંથી પાછા ફરવું તે પ્રતિક્રમણ કહેવાય.
આત્માનું ‘પરસ્થાન' શું છે ? જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ભાવ છોડીને મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ અને ક્રોધ, લોભ, માન, મોહ માયા અને મદના કષાયો આત્માને વળગે ત્યારે આત્મા “સ્વ” સ્થાન છોડી ‘‘પરસ્થાન” માં જાય છે. તે પરસ્થાનમાંથી પાછું ફરવું અને શુધ્ધ આત્મ ભાવમાં જ રહેવાનો પ્રયત્ન કરવો તે પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણ એક આત્મિક સફાઇની પ્રક્રિયા છે. જીવનના રોજીંદા વ્યવહારમાંથી દરેક વ્યક્તિને કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, મોહ, મત્સર વગેરેના કષાયોમાંથી પસાર થવું પડે છે. આવા પ્રવૃત્તિમય દિવસને અંતે ‘‘મે મારા રોજીંદા વ્યવહારમાં ક્યાં ક્યાં ભૂલો કરી, શા માટે કરી અને તેવી ભૂલો ફરી ન થાય તે માટે શું શું કરવું ઇષ્ટ છે” તે જાતની સફાઇ કરી આત્મ નિરિક્ષણ કરવું તેનું નામ પ્રતિક્રમણ છે. રોજીંદા જીવનનો ક્રમ રાગ-દ્વેષ ના કષાયોમાં ગયો તે ક્રમને ફેરવી શુદ્ધ આત્મ તત્વ તરફ પાછું ફરવું
૪
Jain Education International_2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org