SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લેખક પરિચય આ પુસ્તિકાના કાવ્યના વિવેચક શ્રી ચંબકલાલ કે. મહેતા (ઉ.વ.૮૭ વર્ષ) હિમાચલ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ છે અને પોતાની નિવૃત્તિ બાદ ગુજરાતના જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. નિવૃત્તિ બાદ તેમની મુખ્ય પ્રવૃત્તિ વાચન-લેખનની રહેલ છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ પંચાવન વરસ પહેલાં સ્થાપેલ ભા. ન. પ્રા. સંઘના પ્રમુખ છે. તેઓ મુનિશ્રી સંતબાલજીએ શરૂ કરેલ " વિશ્વવાત્સલ્ય ' માસિકના સંપાદક મંડળના સભ્ય છે અને વિશ્વમાં પ્રચલિત ધર્મોના તેમજ ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી છે. આ પુસ્તિકા ઉપરાંત તેમની રચનાઓ નીચે મુજબ છે : 1. પાથ ઓફ અહેતુ (અંગ્રેજીમાં) જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી. 2. સંતબાલ - એ સેઈન્ટ વીથ આ ડિફરન્સ (અંગ્રેજી) મુનિશ્રી સંતબાલજીનું જીવન તથા પ્રેરક પ્રસંગો. સંતબાલ, એક અનોખી માટીના સંત - ઉપરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ - અનુવાદક શ્રી મગનભાઈ પટેલ. આનંદઘન સ્તવનો (ગુજરાતી) - અવધૂત શ્રી આનંદઘનજીએ બાવીસ તીર્થંકર ઉપર રચેલ સ્તવનોનું વિવેચન, ઉત્તરાધ્યયન - સાર - ભગવાન મહાવીરે આપેલ અંતિમ ઉપદેશની ગાથાઓ અંગેનું વિવેચન. જૈનદર્શનની રૂપરેખા - જૈનદર્શનના દરેક પાયાના સિદ્ધાંતોની સાદી સમજ. 7. વોટ ઈઝ જૈનીઝમ (અંગ્રેજી) - પ્રશ્નોત્તરી રૂપે જૈન સિદ્ધાંતોની અંગ્રેજી ભાષામાં સમજ. 8, બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજી) આ કાનૂનની અંગ્રેજીમાં કાનૂની દૃષ્ટિએ વકીલો તથા કોર્ટોને ઉપયોગી ટીકા. 9. ઇસ્લામનું રહસ્ય સૂફીઝમ (ગુજરાતી) નીચેની રચનાઓ પ્રકાશિત કરવાની યોજના છે. (1) અનેકાન્તવાદની જીવનમાં ઉપયોગિતા. (2) વંદિતુ પ્રતિક્રમણ-સૂત્ર - મુનિશ્રી સંતબાલજીનું પદ્યાંતર - તેની સમજૂતી. (3) સામાયિક સૂત્ર. (4) . ગુજરાતની અસ્મિતા (આદિકાળથી શરૂ કરી મરાઠાકાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ) (5) સોક્રેટિસ પૂર્વેના ગ્રીક ફિલસૂફો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004593
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy