SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક નમોથ્થુણંનો પાઠ - પધ્યાન્તર પાઠ - ૭ (ઓધવજી સંદેશો કહેજો શ્યામને-એ રાહ) વંદન કરું છું વ્હાલા હું અરિહંતને, વંદન કરું છું વ્હાલા સિદ્ધ ભગવંત જો; આપ તણા આત્મિક સુખની તો વાત શી, શાન અને દર્શન દીપે જ અનંત જો . -૧ " -૩ જગત મહીં જે ઉચ્ચ અહિંસા ધર્મ છે, આપે સ્થાપ્યો તેહ ધર્મ નિરધાર જો; ભવસાગરથી તા૨ે તે તો તીર્થ છે. આપ તીર્થના સ્થાપક જગ મોઝાર જો. -૨ તત્ત્વ મહીં તો શાની સ્વયં છો આપશ્રી, આત્મજ્ઞાનમાં સૌથી ઉત્તમ નાથ જો; રાગ દ્વેષના શત્રુઓ હણવા થકી, લોક મહીં છો સિંહ સમાન સમર્થ જો . કોમળતા તો કમળ તણી છે આપમાં, દયાવાનમાં ફોમળતા પંકાય કમળ સમાન અસંગ રહ્યા સંસારથી અહો વિરક્તિ વિરલી તે અંકાય જો . ૪ ગંધહસ્તીની વાસ થકી સૌ હસ્તીઓ, અળગા રહે એ ગંધ તણો પરતાપ જો ; કર્મ-શત્રુઓ આપ થકી અળગા રહે, અડોલતામાં ગંધહસ્તી સમ આપ જો . -૫ લોક મહીં તો સર્વોત્તમ છો આપશ્રી, સત્ય માર્ગના સૂચક તેથી નાથ જો ; દુ:ખ તજવાનો માર્ગ બતાવો તે થકી, હિતકારી છો આપ અમારા તાત જો. -૬ Jain Education International 2010_04 For Private & Personal Use Only જો ; ૧૯ www.jainelibrary.org
SR No.004593
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy