________________
અધ્યયન-૩૪
આત્મવિકાસની ઓળખ
નોંધ ૧ : લેશ્યા વિષેના જૈન સિદ્ધાંતની ટૂંકી નોંધ ઉપોદ્ઘાતમાં લીધી છે. તેમાં જણાવ્યા પ્રમાણે મનુષ્યના આત્મિક વિકાસની આરસી એટ્લે લેશ્યા. વિચારકોએ આત્માને સ્ફટિક સાથે સરખાવ્યો છે. જેમ સ્ફટિક્ની નજીક કોઈ પણ રંગીન વસ્તુ લાવીએ ત્યારે તે વસ્તુનો રંગ સ્ફટિક ગ્રહણ કરે છે. તેજ રીતે જીવે રેલ ક્ર્મનો રંગ જીવાત્મા ગ્રહણ ક્યે છે અને તેથી તે ‘ર્મ-લેશ્યા’ કહેવાય છે . તે કુલ છ પ્રકારની છે. જેમાંની પ્રથમ ત્રણ અપ્રશસ્ત-અનિચ્છનીય અને છેલ્લી ત્રણ પ્રશસ્ત-ઈચ્છનીય છે. આથી કોઈ પણ જીવના આત્મિક વિકાસનું માપ કાઢવું હોય તો તેની લેશ્યાનો રંગ નક્કી કરવો જોઈએ. એક વાર તે રંગ નક્કી થાય તે બાદ તેના તમામ લક્ષણોનું માપ નક્કી ાઈ શકે. આ બાબતની વિગતવાર નોંધ આ અધ્યયનમાં લેવામાં આવી છે.
.
અધ્યયન ૩૪ : લેશ્યા
૭૯
અધ્યયન સાર
આ લેશ્યાઓને ઓળખવા માટે તેના (૧) નામ, (૨) વર્ણ (રંગ), (૩) રસ, (૪) ગંધ, (૫) સ્પર્શ, (૬) પરિણામ, (૭) લક્ષણ, (૮) સ્થાન, (૯) સ્થિતિ, (૧૦) ગતિ અને (૧૧) આયુષ્ય તેમ અગિયાર પાસાઓ છે.
નોંધ ર : અધ્યયનમાં આ દરેક પાસાઓનું વિગતથી વર્ણન છે, પરંતુ અહીં જે પાસા રોજીંદા જીવનમાં ઉપયોગી છે તેની જ નોંધ લેવામાં આવેલ છે.
Jain Education International 2010_03
નામ : આ છ લેશ્યાઓના નામ (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કપોત, (૪) તેજો, (૫) પદમ અને (૬) શુકલ. (ગા. ૧ થી ૩)
વર્ણ : કૃષ્ણનો રંગ કાળા મેઘ જેવો, નીલનો અશોક વૃક્ષ કે નીલમણી જેવો, કે કપોતનો પારેવાની ડોક જેવો, તેજોનો હિંગળા જેવો અગર ઉગતા સૂર્ય જેવો, પદમનો હળદરના ભૂકા જેવો, શુકલનો દૂધની ધાર અગર રૂપા જેવો હોય છે. (ગા. ૪ થી ૯) રસ ઃ કૃષ્ણનો કડવા લીંબડાના સ્વાદ કરતાં અનંત ગણો વિશેષ કડવો, નીલનો
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org