________________
અધ્યયન-૩૨
૫૫
પોતાનાથી અધિક કે સમાન એવો નિપુણ સાથી કદાચ ન મળે તો એકલા જ અનાસક્તપણે વિચરવું. (ગા. ૫)
જેમ પક્ષી ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને ઈંડુ પક્ષીમાંથી ઉત્પન્ન થાય છે તેમ તૃષ્ણા મોહમાંથી અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. (ગા. ૬)
रागो य दोसो वि य कम्मबीयं कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयंति ।। (७)
અર્થાત્, રાગદ્વેષ કર્મથી ઉત્પન્ન થાય છે, કર્મ મોહથી ઉત્પન્ન થાય છે, કર્મ જન્મ-મરણનું મૂળ છે અને જન્મ મરણને (ભગવાને) દુઃખનું કારણ કહ્યું છે. (ગા. ૭)
दुक्खं हयं जस्स न होइ मोहो, मोहोहओ जस्स न होइ । तण्हा ह्या जस्स न होइ लोहो, लहोहओ जस्स तपहा न किंचणाई ।। (८)
મોહ ન હોય તો દુ:ખ હણાય છે, તૃષ્ણા ન હોય તો મોહ હણાય છે, જેને લોભ નથી હોતો તેની તૃષ્ણા હણાય છે, જે અકિંચન (અનાસક્ત) છે તેનો લોભ હણાય છે. (ગા. ૮).
રાગદ્વેષ અને મોહને મૂળસહિત ઉખેડવાના ઉપાયોનું હવે હું વર્ણન કરું છું. (ગા. ૯)
વિવિધ પ્રકારના ઈન્દ્રિયોને ઉત્તેજિત કરનારા રસોને કલ્યાણાર્થીઓએ ભોગવવા નહીં. (ગા. ૧૦)
જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવનથી સળગેલો દાવાગ્નિ શાંત થતો નથી તેમ અસંયમી આહાર કરનાર વ્યક્તિનો ઈન્દ્રિયાગ્નિ શાંત થતો નથી. (ગા. ૧૧)
જયાં બિલાડા વસતા હોય ત્યાં ઉંદરને રહેવું જેમ સલામત નથી તેમ સ્ત્રીઓ વસતી હોય ત્યાં બ્રહ્મચારીને રહેવું સલામત નથી. તપસ્વીઓએ સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, અંગમરોડ અને કટાક્ષનું મનથી પણ ચિંતન કરવું નહીં. (ગા. ૧૪)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org