________________
અધ્યયન-૩૬
સાધકે સંયમને વિષે વિચરવું. (ગા. ર૪૬-૨૪૭) ત્યારબાદ ઘણા વર્ષો સુધી શુદ્ધ ચારિત્ર પાળી ત્યારબાદની ગાથાઓના ક્રમમાં તપશ્ચર્યા કરવી. (ગા. ૨૪૮)
કંદર્પ ભાવના (એટલે અટ્ટહાસ્ય, હાંસી, કુચેષ્ટા અને કામકથા), આભીયોગી ભાવના (એટલે વશીકરણના મંત્રો કે દોરાધાગા), કિલ્બિષિકી ભાવના (એટલે કે કેવળી પુરૂષો, જ્ઞાન, ધર્માચાર્ય, સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓની નિંદા) અને આસુરી ભાવના (એટલે કે કાયમને માટે રોષ કરે અને દુષ્કાર્યોમાં જ રત રહ) – આ બધી અશુભ ભાવનાઓ દુર્ગતિના હેતુ રૂપ છે. (ગા. ર૫૪, ૨૬૧ થી ર૬૪)
જે જીવો મિથ્યાત્વ દર્શનમાં રત, જીવઘાત કરનાર અને નિયાણ કરનાર છે તેને બોધીલાભ દુર્લભ છે પરંતુ જે સમ્યકત્વ દર્શનમાં રક્ત, નિયાણ ન કરનાર અને શુકલ લેશ્યાને ધારણ કરનાર છે તેને બોધલાભ સુલભ છે. (ગા. રપપ-૨પ૬)
જે જીવો જિનવચનને યથાર્થ જાણી શકતા નથી તે અજ્ઞાનીઓ અકાળ મરણ પામે છે. (ગા. ર૫૯).
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org