________________
ઉપોદ્ઘાત
વસ્તુ કે સિદ્ધાંત અંગેનો તેનો અભિપ્રાય પણ સીમિત જ રહેવાનો. જીવનની આ વાસ્તવિકતા એક વખત આપણા ધ્યાનમાં આવે તો આપણામાં સહિષ્ણુતાનો વિકાસ થાય છે અને જીવનની વિષમતાઓ તેમજ વિપરિતતાઓને સમભાવે સ્વીકારવાની શક્તિ પણ વિકસે છે.
આ રીતે સ્યાદ્વાદ યથાર્થ રીતે સમજવામાં આવે તો વિચાર અને ચિંતનના ક્ષેત્રે પણ અહિંસાનો જન્મ થાય છે, કારણ કે વિરૂદ્ધ મતવાદીઓનું દૃષ્ટિબિંદુ પણ અમુક સંજોગોની અપેક્ષાએ કેટલે અંશે સ્વીકૃત છે તે જાણી શકાય છે.
સ્યાદ્વાદના આ સિદ્ધાંત જૈન વિચારસરણીને એક અનોખી સહિષ્ણુતા બક્ષી છે. જે વિવિધ વિચારસરણીઓમાંથી સત્યાંશને શોધી તેને તેના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરવાનું તે શીખવે છે જેના પરિણામે મનુષ્યના વિચારપ્રવાહમાં એક અનોખા પ્રકારની લચક આવે છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે ઘણા જૈનોના વ્યવહારમાં આવી લચકતાનો અભાવ જણાય છે.
લેવા
કર્મ સિદ્ધાંત સાથે સંકળાયેલ એક બીજો સિદ્ધાંત “લેશ્યા'નો છે, જે આધુનિક માનસશાસ્ત્રથી પણ આગળ વધીને વ્યક્તિના આંતર-મન (sub-conscious mind)નું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે. દરેક મનુષ્યનું વ્યક્તિત્વ અને તે વ્યકિતત્વનો પ્રભાવ જે તે મનુષ્યના “ભાવ કર્મ અને ‘દ્રવ્ય કર્મથી ઘડાય છે. ક્રૂર મનુષ્યની ક્રૂરતા તેના ચહેરા અને આંખોમાં સ્પષ્ટ રીતે વર્તાય છે અને તેજ રીતે જીવમાત્ર પ્રત્યે પ્રેમ અને અહિંસાથી જેનું સ્ક્રય ભરેલ હોય તેના ચહેરામાં અને આંખોમાં અમી વર્તાય છે. સંતના સાંનિધ્યમાં શાંતિ વર્તાય છે જ્યારે ક્રોધી અને ક્રૂર વ્યક્તિના સાંનિધ્યમાં અશાંતિ વર્તાય છે. આનું કારણ એ છે કે આપણે બાંધેલા વિવિધ કર્મોના સાંનિધ્યથી આપણો આત્મા રંગાય છે અને તે રંગથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે. અંગ્રેજીમાં આને ‘Aura' (ઓરા) કહે છે. પતંજલી યોગ સહિત યોગની વિવિધ પદ્ધતિઓએ તેમજ બૌદ્ધ પદ્ધતિએ પણ આ વેશ્યાના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે.
જૈન વિવેચકોએ “લેશ્યા'ના છ પ્રકારો જણાવ્યા છે : તે “કૃષ્ણ', “નીલ”,
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org