________________
ઉપોદ્યાત
૨૭
કરીએ છીએ તેમ દુઃખી પણ કરીએ છીએ.’ આ રીતે સુખ અને દુઃખની ઘટમાળમાંથી મૃત્યુ સુધી મુક્ત થઈ શકતા નથી. આથી વૃત્તિસંક્ષેપ – વૃત્તિઓની ભૌતિક ઈચ્છાઓની મર્યાદા એ બાહ્ય તપનો અગત્યનો પ્રકાર છે જે ફક્ત ખાવાપીવામાં જ નહીં પરંતુ સમગ્ર જીવન વ્યવહારને આવરી લે છે.
(૪) રસ પરિત્યાગ : ખાવાપીવામાં રસવૃત્તિને મહત્ત્વ આપવાને બદલે પોષણ તત્ત્વને મહત્ત્વ આપી તપશ્ચર્યાના માર્ગે આગળ વધવું. આયંબીલ પાળવીતે રસ પરિત્યાગનો પ્રકાર છે. રસ પરિત્યાગથી જીભના સ્વાદ ઉપર નિયંત્રણ રાખી શકાય છે અને જેને જીભ ઉપર નિયંત્રણ છે તેને જીવન ઉપરનું નિયંત્રણ સ્વાભાવિક બને
(પ) વિવિક્ત - શય્યાસન : શાંત ચિત્તે ધ્યાનમાં બેસી શકાય તેવા એકાંત સ્થળે વાસ કરવો.
(૬) કાયકલેશ : શરીરને કષ્ટ આપનાર પરિસ્થિતિમાં પણ મનની સ્થિરતા કાયમ રહે તે રીતે શરીરને કેળવવું.
માનસ પરિવર્તન
આ રીતે અત્યંતર તપની સાથોસાથ આ પ્રકારના બાહ્ય તપનો સુમેળ સાધીને સકામ નિર્જરાને પંથે આપણે આગળ વધી શકીએ તો સંચિત કર્મોનો નાશ કરી શકાય તેમ જ્ઞાનીઓએ કહ્યું છે. ભગવાન મહાવીરે બાર વર્ષ સુધી એવી ઘોર તપશ્ચર્યાઓ કરી કે આ બાર વર્ષ દરમ્યાન ખાવાના દિવસોનો સરવાળો તો ફક્ત એક વર્ષ જેટલો જ માંડ થવા જાય. તે ઉપરાંત જે શારીરિક કષ્ટો સહન કરવા પડ્યા તેનું વર્ણન પણ કષ્ટદાયક થઈ પડે તેવું છે. આમ છતાં તેમની શારીરિક કાંતિ કે બળ ઓછા નહોતા થયાં કારણ કે તપશ્ચર્યાની ચાલુ પદ્ધતિમાં માનસિક પરિવર્તનને તેમણે અગત્યનું સ્થાન આપ્યું. તેમના સમયમાં અને તેમના પહેલાં શ્રી પાર્શ્વનાથના સમયમાં પણ નર્યા દેહદમનવાળી શારીરિક તપશ્ચર્યા ઘણી વ્યાપક રીતે થતી હતી. તે જાતની તપસ્યા બુદ્ધ ભગવાને પણ તેમના સંન્યસ્થની પ્રથમ અવસ્થામાં ઘણી કરી પરંતુ તેમને તેથી સમાધાન થયું નહીં. આથી તેમણે ઉગ્ર તપસ્યાનો માર્ગ છોડી મધ્યમ માર્ગ પસંદ
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org