________________
ઉપોદ્યાત
હાથમાં છે – ઈશ્વર નામની કોઈ બાહ્ય શક્તિના હાથમાં નથી. આપણા એટલે કે આપણા આત્માના – આપણામાં રહેલ ચૈતન્ય તત્ત્વના – “સ્વભાવને સમ્યગ રીતે ઓળખીને તેમાં પ્રગતિ કરીએ તો આપણે “અજીવ’ દ્રવ્યોની પકડમાંથી છૂટતા જઈએ એટલે કે કષાયોથી મુક્ત થતાં જઈએ જે મુક્તિ આપણને શુદ્ધ ચૈતન્યમય સ્થિતિમાં લઈ જઈ શકે, “આપણે” શબ્દનો પ્રયોગ “જીવ’ દ્રવ્ય માટે જ છે કારણ કે જે “અજીવ’ દ્રવ્યો છે તે તો ક્ષણિક અને પરદ્રવ્યો છે. તે દ્રવ્યો મારફત જે પ્રવૃત્તિ થાય છે તેનું પરિણામ તો “જીવને જ ભોગવવાનું રહે છે. માટે તત્ત્વજ્ઞો કહે છે કે આત્માએ ખરી દિશામાં પ્રગતિ કરવી હોય તો “જીવ' “અજીવ'ના આ બંને પ્રથમ સમજવાની ખાસ જરૂર છે. તે સમજાશે તો આપોઆપ જ્ઞાન થશે કે આપણો આત્મા પોતે જ આપણા કર્મનો કર્યા છે, અને કર્મનો કર્તા છે એટલે કર્મ-જન્ય સુખદુઃખનો ભોક્તા પણ છે. તેથી જ તત્વજ્ઞોએ કહ્યું કે “પ્રારા વિના ૪ સુરાગ ૨ ૩ વા’ ‘કર્મનો કર્તા અને અકર્તા આત્મા જ છે અને તેથી સુખદુઃખનો ભોક્તા પણ તે જ છે.'
કર્મ સિદ્ધાંત
જ્યાં સુધી “જીવ' (આત્મા) પુદ્ગલના સંસર્ગથી છુટો ન થાય ત્યાં સુધી તેની કર્મ-જન્ય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેવાની, અને જો કર્મ જન્મે તો તેની પાછળ કર્મ-ફળ પણ આવવાનું જ. આ વિશ્વમાં કોઈ પણ ક્રિયા એવી નથી કે જેની ફળસ્વરૂપ પ્રતિક્રિયા ન હોય – કાર્યકારણનો આ અચળ નિયમ છે. વિશ્વમાં કોઈ વસ્તુ કે પ્રસંગ આકસ્મિક નથી હોતો. જેનું કારણ આપણે જાણતા નથી તેને આપણે આકસ્મિક ગણીએ છીએ. અગર તો તેમાં ચમત્કારનું આરોપણ કરીએ છીએ. પરંતુ દરેક પ્રસંગ કે હકીકતને તેનું કારણ તો હોય જ છે. - જો આમ હોય તો પુદ્ગલના સંસર્ગથી “જીવ' જે કાંઈ સારું કે નરસું કાર્ય કરે તેનું પરિણામ તો તેને જ ભોગવવું પડે. સારા કર્મને આપણે પુણ્ય તરીકે ઓળખીએ છીએ અને ખરાબ કર્મને પાપ' તરીકે ઓળખીએ છીએ. આ બંને જાતના કર્મના ફળ હોય છે અને તે ફળનો ભોગવટો કરતાં બીજા કર્મો પણ બંધાવાની શક્યતા છે. જે પુણ્યના સારા ફળ ભોગવતા પાપ કર્મ ઉપાર્જીત થાય તેને “પાપાનુબંધી પુણ્ય
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org