________________
ઉપોદ્ઘાત
સમજવાની, કેમકે તે સમજવાથી જ આપણી વિષમતાઓનો ઉપાય હાથ લાગી શકે.
१४
“હું કોણ છું, ક્યાંથી થયો ?’’
દરેક વિચારવંત વ્યક્તિના જીવનમાં એક સમય તો એવો આવે છે કે તેને પ્રશ્નો થાય કે સંસારના આ વિશાળ ફલક ઉપર જે વિવિધ ઘટનાઓ ચાલી રહી છે તે કેવી રીતે ચાલતી રહેતી હશે ? તેનું શું પ્રયોજન હશે ? તે બધું આપણને અને આપણા પછીની પ્રજાને ક્યાં લઈ જશે? કોઈ વાર એમ પણ વિચાર આવે કે આ જીવનનું શું પ્રયોજન હશે ? આપણે જન્મ્યા, વિવિધ પ્રકારનો જીવન વ્યવહાર ચલાવ્યો, પ્રજોત્પતિ કરી, પાપ-પુણ્ય કર્યા, સાજા-માંદા થયા, ઘડપણ આવ્યું, પછી મૃત્યુ આવ્યું અને માસ બે માસમાં ભુલાઈ જવાના. સંસારના આ જાતના ક્રમ પાછળ કોઈ હેતુ ખરો ? શ્રીમદ્ રાજચંદ્રજીએ પુછ્યું, ‘‘હું કોણ છું, ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિખ્ખું ?” એક વૈદિક ઋષિએ પુછ્યું, હિં હારનું બ્રહ્મા ભુતઃ સ્મ નાતા નીવામઃ વ્હેન વશ્વ ચ સંપ્રતિક્ત્તિાઃ ઝેન સુવેતદ્વેષ વર્તામ।। અર્થાત્ : “શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે? આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શા માટે જીવી રહ્યા છીએ ? ક્યાં છીએ ? શાથી સુખદુઃખમાં વર્તીએ છીએ ?’” કોઈ પણ બુદ્ધિજીવી શોધકને આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે.
અનાદી-અનંત ચૈતન્ય શક્તિ
સંસારની તમામ પ્રકારની ઘટનાઓના ક્રમનો ઝીણવટથી અભ્યાસ કરીને તત્ત્વજ્ઞોએ જોયું કે સંસારની તમામ વસ્તુઓ તેમજ ઘટમાળો ‘ઉત્પતિ’, ‘સ્થિતિ’ અને ‘લય’ને પાત્ર છે. અને જેને ‘સ્થિતિ’નું પરિણામ આપણે કહીએ છીએ તે પણ સતત બદલાવને પાત્ર છે. આમ છતાં એક તત્ત્વ એવું છે કે જે તેમાં અંર્તહિત કાયમ માટે રહેલ હોય છે. દા.ત. માટીનો ઘડો બને તે ઘડાની ઉત્પતિ થઈ, ઘડો ચાલુ રહે અને બાદમાં તે તૂટી જાય, તેનો લય થાય તો એ ત્રણ સ્થિતિમાં માટી તો કાયમ રહે જ છે. તેજ રીતે જીવંત તત્ત્વનું. વનસ્પતિથી માંડી મનુષ્યનો જીવ લો. તે તમામ જીવોની વિવિધતામાં ઉત્પતિ, સ્થિતિ અને લય તો થાય છે જ પરંતુ તેનું જે જીવંત
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
-
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org