________________
૧૧૮
અધ્યયન-૧૭
પાપી શ્રમણો
અધ્યયન ૧૭ : પાપ શ્રમણીય
જે કોઈ શ્રમણે દીક્ષા લઈ ધર્મનું શ્રવણ કર્યું હોય અને સમ્યક લાભ, જે પ્રાપ્ત થવો દુર્લભ છે, તે પ્રાપ્ત કર્યા બાદ યથેચ્છ વર્તે અને કહે કે “મને સારી શય્યા મળી છે, ટાઢ અને તાપથી બચવા સારા વસ્ત્રો મળે છે, સારા ખાનપાન મળે છે અને સંસારનું ચક્ર કેવી રીતે ચાલે છે તે અમો જાણીએ છીએ તો પછી હવે મારે સિદ્ધાંત ભણીને શું કરવું છે?" આ રીતે જે વિચારે છે અને ખાઈપીને સુખે સૂઈ રહે છે તે પાપી શ્રમણ છે. જે મૂર્ખ, જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી સિદ્ધાંત શીખ્યો તેને જ નિંદે છે તે પાપી શ્રમણ છે. જે સાધુ પ્રાણીઓને, સચેન ધાન્યાદિને, ફળ, પુષ્ય આદિને પીડા ઉપજાવે, જે આત્મસંયમમાં દઢ ન હોય છતાં પોતાને દઢ માને, જે ભિક્ષાદિ અર્થે ઉતાવળો પ્રમાદસહિત ચાલે અને વિનયરહિત તથા ક્રોધ તથા ઉન્માદસહિત વિચરે તે પાપી શ્રમણ કહેવાય.
જે સાધુ વિવાદ અને કલહ કરે, બુદ્ધિને ભ્રષ્ટ કરે, જયાંત્યાં અસાવધપણે બેસે ઉઠે, રજથી ભરેલ પગસહિત શયામાં સૂવે, દૂધ, દહીં ઈત્યાદિનો વારંવાર આહાર કરે, ગુરૂ શીખામણ આપે ત્યારે સામો શીખામણ આપવા લાગે, વારંવાર નવા ગચ્છમાં દાખલ થાય, દ્રવ્ય ઉપાર્જન કરવા શુભાશુભ ભવિષ્ય ભાખે, ગૃહસ્થને ત્યાં જઈ તેના આસને બેસે, પોતાના સગાવહાલાને ત્યાંથી આહાર લે અને જુદા જુદા ઘરેથી ભિક્ષા લેવાનું પસંદ ન કરે – આવા પંચ મહાવ્રતનો ભંગ કરનાર વેષધારી સાધુઓ અધમ ગણાય છે પરંતુ જે સાધુ આ સર્વ દોષોને ત્યજે છે તે જગતમાં પૂજાય છે. (ગા. ૧ થી ૨૧)
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org