SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Ō જૈન દર્શન દર્શનની રૂપરેખા જૈન દર્શન એક સંપૂર્ણ તર્કશુદ્ધ અને વૈજ્ઞાનિક તત્ત્વ-ચિંતન છે અને તેમાં પ્રેમમય સમર્પિત ભક્તિભાવને સંપૂર્ણ અવકાશ હોવા છતાં મુખ્યત્વે તો તે જ્ઞાનમાર્ગ છે. આથી જ તેમાં દરેક સિદ્ધાંતની ચર્ચા ઝીણામાં ઝીણી વિગતથી તથા ઉંડાણથી થયેલ છે. તે વિગતો અને ઉંડાણમાં ઉતર્યા વિના તે સિદ્ધાંતોની બાહ્ય રૂપરેખા જ (outlines) આપણે અત્રે જોઈશું. સુખની દોડ, દુઃખની પ્રાપ્તિ દરેક તત્ત્વ-દર્શનના પાયામાં જોઈએ તો દરેક જીવની ‘સુખ’ પ્રાપ્ત કરવાની વૃત્તિ અને તે માટેની દોડ માલુમ પડશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ કે સત્તા પાછળની દોડ, સત્કાર્યો કરવાની અભિલાષા કે દુષ્કાર્યો કરવાનું સાહસ, માનમોભો કે પ્રતિષ્ઠા મેળવવાની વૃત્તિ કે લગ્ન, પ્રજોત્પત્તિ તથા સાંસારિક બંધનોથી બંધાવાની તૈયારી માણસની આ બધી પ્રવૃત્તિઓની પાછળ જો કોઈ સર્વ-સામાન્ય લક્ષણ હોય તો તે છે ‘સુખ’ની શોધ અને તે માટેના પ્રયત્નો. છતાં આ દરેક પ્રયત્નના પરિણામે માણસને જે જોઈએ છે તે મળતું નથી. કોઈ વાર સુખને બદલે દુઃખની પ્રાપ્તિ થાય છે અને બધી વખત ‘સુખ’ની પ્રાપ્તિ પણ ક્ષણિક જ હોઈને પાછી દોડ શરૂ થાય છે. જીવનને અંતે જો સરવાળો મુકાય તો સુખ કરતાં દુઃખનું પલ્લું ભારે જણાય છે અને શાશ્વત સુખની વાત તો ઝાંઝવાના જળની માફક દૂર અને દૂર જતી જાય છે. આથી મહાવીરે કહ્યું અને યુદ્ધો હ્રી સંસારો ‘અરે, સંસાર છેવટે તો દુઃખમય જ છે.' ભગવાન બુદ્ધે પણ તેમજ કહ્યું. જો તેમજ હોય તો તેનો ઉપાય શો છે? જેમ છે તેમ ચાલવા દેવું અને નિયતિને વશ રહીને જીવન પૂરું કરવું ? જૈન દર્શન કહે છે “ના. તું એટલું જ Jain Education International 2010_04 જૈન દર્શનની રૂપરેખા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy