SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આપણે ‘ધર્મ-ધ્યાન’માં પ્રવેશ કરીએ છીએ, અને શુદ્ધ આત્મ-દશા સંપૂર્ણપણે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ‘શુકલ-ધ્યાન’માં પ્રવેશ થાય છે. નિર્વિકલ્પ સમાધિની દશા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ‘શુકલ-ધ્યાન’ સંપૂર્ણ રીતે પરિણમે છે. ‘ધ્યાન’નું આ વર્ગીકરણ સતત ધ્યાનમાં રહે અને આપણે કઈ ક્ષણે કયા પ્રકારના ધ્યાનમાં છીએ તેની જાગૃતિ સતત રહ્યા કરે તો ઉત્તરોત્તર આત્મિક પ્રગતિ અવશ્ય થાય. પ્રવચન માતા દશવૈકાલિક સૂત્રમાં આવે છે કે ભગવાન મહાવીરને કોઈએ પ્રશ્ન પુછયો કે ભગવાન ! સાધક કેવી રીતે ચાલે, ઉભો રહે, બેસે, બોલે, સૂવે, ખાય કે જેથી તેને પાપ કર્મનું બંધન ન થાય ? શ્રી ભગવાને કહ્યું : जयं चरे जयं चिट्टे जयमासे जयं सए । जयं भुजतो भासन्तो पावकामं न बन्धइ || શ્રી ભગવાને ટૂંકમાં જવાબ આપ્યો કે, ‘‘સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઉભો રહે, વિવેકથી બેસે, વિવેકથી સૂવે, વિવેકથી ખાય અને વિવેકથી બોલે તો તેને પાપકર્મનું બંધન ન થાય.” જીવન-ક્રમ તો ચલાવ્યા સિવાય છુટકો જ નથી પરંતુ તે ક્રમમાં ક્ષણે ક્ષણે વિવેક આવે તો જાગરૂકતા પણ અવશ્ય આવે; જાગરૂકતા આવેતો સારા-નરસાનું જ્ઞાન પણ આવે અને આવા જ્ઞાનથી માણસ પાપ કરતાં અટકે. આવું જ્ઞાન મેળવવા તત્ત્વજ્ઞોએ પાંચ ‘સમિતિઓ’ અને ત્રણ ‘ગુપ્તિઓ’ની રચના કરી જેનું પાલન કરવાથી જીવનની તમામ પ્રવૃત્તિઓમાં નિયમન આવી શક છે. વિવેકપૂર્વક પાલન થાય તો જિનેશ્વરના સમગ્ર ઉપદેશનો તેમાં સમાવેશ થાય છે, તેથી તેને માતાની ઉપમા આપી છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના ચોવીસમા Jain Education International 2010_04 જૈન દર્શનની રૂપરેખા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy