SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨e (૪) જે વ્યક્તિ પોતાના સામાન્ય આરામ કે સ્વાર્થનો ભોગ આપીને પણ પોતાને મદદરૂપ થનાર વ્યક્તિને મદદ કરવા તૈયાર થાય છે તેની “તેજો લેશ્યા હોય છે. (૫) જે વ્યક્તિ પોતાના સ્વાર્થનો વિશેષ ભોગ આપી પોતાના સંસર્ગમાં આવનાર તમામને મદદ કરવા તૈયાર હોય છે તેને “પદમ' લેશ્યા હોય છે. (૬) જે વ્યક્તિ તદ્દન નિસ્વાર્થ ભાવે પોતાના સ્વાર્થને ભોગે પણ બીજાને મદદ કરવા તૈયાર હોય છે તેને “શુકલ લેશ્યા હોય છે. માનવ સ્વભાવનું આ વર્ગીકરણ આપણે કયા સ્થાને ઉભા છીએ તે જાણવામાં અને આત્મિક પ્રગતિ કરવામાં ઘણું ઉપયોગી છે. ધ્યાન આવી જ એક અગત્યની માનસિક પ્રક્રિયા ધ્યાન' વિશેની જૈન સમાજમાં રહેલી છે. ધ્યાન” બાબતમાં સામાન્ય સમજ એવી છે કે તે ઈશ્વરી તત્ત્વ ઉપર જ સમસ્ત ધ્યાન કેન્દ્રિત કરવાની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. આ જાતની માન્યતા ફક્ત અંશતઃ જ સાચી છે. ધ્યાન”નો વ્યાપક અર્થ તો મનના પરિણામોને કોઈ એક વિષય ઉપર જ સ્થિર કરવા તેવો થાય. જૈન વિચારકોએ આવો વ્યાપક અર્થ સ્વીકારીને ધ્યાન'ના ચાર પ્રકારો કહ્યાં : (૧) આર્ત ધ્યાન (૨) રૂદ્ર ધ્યાન (૩) ધર્મ ધ્યાન અને (૪) શુકલ ધ્યાન. મનુષ્ય જીવનની તમામ પ્રવૃત્તિઓનો આ ચાર પ્રકારોમાં જ સમાવેશ થઈ જાય છે. આપણા સાંસારિક જીવનમાં આપણે બહુધા પ્રથમ બે પ્રકારના ધ્યાનમાં જ રહેતા હોઈએ છીએ. “આર્ત એટલે દુઃખ અને “રૂદ્ર' એટલે ક્રૂર. આપણા રોજિંદા જીવનનો સરવાળો કરીશું તો બહુધા આપણે કોઈ પ્રસંગથી કાંતો દુઃખી થતા હોઈએ છીએ અગર તો ક્રોધે ભરાતા હોઈએ છીએ. પરંતુ આપણામાં કોઈ સમયે સાત્વિકતા પણ જાગે છે, જ્યારે આપણે ચિંતનની ભૂમિકા ઉપર ઉભા હોઈએ અને સત્ પુરૂષોએ ચિંધેલ માર્ગે જવા પ્રયત્ન કરીએ છીએ. આવા પ્રસંગે જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy