SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં, અગર તો તે જાણ્યા કે જોયા બાદ તે ગુણધર્મોને તેના યથાર્થ સ્વરૂપે સમજ શકીએ નહીં તો તેના વિશેનો યથાર્થ નિર્ણય લઈ શકીએ નહીં. આ સિદ્ધાંત ઉપર જ સ્યાદ્વાદની રચના થયેલ છે. દરેક વસ્તુ કે વિચારના અનેક પાસાઓ અને ગુણધર્મો હોય છે. અમુક અપેક્ષાએ એક વસ્તુ કે વિચાર અમુક પ્રકારે જ સમજાય તે બીજી અપેક્ષાએ જુદી રીતે સમજાય. તેજ વસ્તુ કે વિંચારના અમુક પાસા અમુક સંજોગોમાં આપણી નજરે ચડે નહીં જ્યારે બીજા સંજોગોમાં તે સહેલાઈથી આપણી નજરે ચડે. આથી વસ્તુ કે વિચારના વિવિધ પાસા (aspects)ને લક્ષ્યમાં લેવા કે સમજવાની વિધિને નિયવાદ' કહેવાય છે. તે વિવિધ પાસાઓને લક્ષ્યમાં લઈ તેના વિશેનો નિર્ણય કરનાર વ્યક્તિની સમજશક્તિ ઉપર પણ છેવટના નિર્ણયનો આધાર રહે છે. અને દરેક વ્યક્તિની સમજશક્તિમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિમાં જે જન્મજાત સંસ્કારો હોય અને તે સંસ્કારોનો તેના ઉછેર દરમ્યાન જે વળાંક વળ્યો હોય, જે કુટુંબ, દેશ, ભાષા કે સંસ્કૃતિનો તેના ઉપર પ્રભાવ પડ્યો હોય તે તમામ ભિન્ન ભિન્ન પ્રકારના હોઈ શકે છે. આથી તે વ્યક્તિ જે નિર્ણય (judgement) બાંધે તે અમુક અપેક્ષાએ સાચો હોય અને અમુક અપેક્ષાએ ખોટો પણ હોય. આથી “નયવાદ'માંથી ફલિત થતા વિવિધ પાસાઓને લક્ષ્યમાં લઈ કઈ અપેક્ષાએ તેનો નિર્ણય લેવાયો છે તે જાણવું જરૂરી છે. આ જાણ્યા બાદ જ અમુક વ્યક્તિની અમુક માન્યતા અગર નિર્ણય સાચો છે કે ખોટો છે તેની ખાત્રી થઈ શકે. આ પ્રકારના તર્કને “સ્યાદ્વાદ' કહેવાય છે. - આ સિદ્ધાંતને સમજાવતા વિદ્વાનોએ એક દૃષ્ટાંત આપ્યું તે નોંધવાને પાત્ર છે. દષ્ટાંત થોડાંક અંધ ભાઈઓનું છે. તેમને કહેવામાં આવ્યું કે હાથીને સ્પર્શ કરીને કહો કે તે કેવો છે. તો સ્પર્શને પરિણામે એક અંધજને કહ્યું કે તે દોરડા જેવો છે, બીજો કહે કે તે સર્પ જેવો છે, ત્રીજો કહે કે તે થાંભલા જેવો છે, ચોથો કહે કે તે જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy