SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ (૧) ‘બહિરાત્મ’ દશા જેમાં જીવ સારી-નરસી કર્મ વર્ગણાઓથી ઘેરાયેલો જ રહે છે અને તેમાંથી છુટવાનું તેને મન થતું જ નથી. (૨) ‘અંતરાત્મ દશા’ જેમાં ઉપરની દશાની નિષ્ફળતાનું ભાન થયા બાદ અંતર-નિરીક્ષણ થવા લાગે છે જે ઉત્તરોત્તર વધતું જાય છે અને સાત્વિક વૃત્તિ વેગ પકડે છે. (૩) ‘પરમાત્મ દશા' જેમાં પ્રગતિને પંથે પડેલ આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી છેવટે શુદ્ધ આત્મદશાને પામે છે. છેલ્લી પ૨માત્મ દશાને પામવા ઘણો આકરો પ્રયત્ન કરવાની જરૂર રહે છે. આ પ્રયત્નને ચૌદ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે જેને ચૌદ ગુણસ્થાનકો કહેવાય છે. દરેક ગુણસ્થાને પહોંચવા માટે આત્મામાં કેવા ગુણોની ખીલવણી થઈ હોવી જોઈએ અને તે સ્થાનમાં કેવા આત્મદોષ રહી જાય છે તેનું વિવેચન વિસ્તૃત રીતે વિદ્વાનોએ કરેલ છે. રત્નત્રયી આત્માની આ જાતની પ્રગતિની ભીતરમાં શ્રદ્ધાયુક્ત જ્ઞાનની ખીલવણી અને તેમાંથી સ્વાભાવિક રીતે પ્રગટતું ચારિત્ર રહેલ છે. આ રીતે થતી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની ખીલવણી ‘રત્નત્રયી’ના નામથી ઓળખાય છે. આ રત્નત્રયીના ત્રણ અંગો છે ઃ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સંસારની અને જીવનનાં સુખદુઃખમાંથી ઉદ્ભવતા પ્રશ્નો બાબત બુદ્ધિજીવી માણસ જ્યારે ચિંતન કરે છે ત્યારે તેને ખાત્રી થાય છે કે સામાન્ય બુદ્ધિથી કળી શકાય નહીં તેવું કોઈ પરિબળ સંસારમાં કામ કરે છે. આ પરિબળને કોઈ ‘ઈશ્વર’નું નામ આપે કે કોઈ ‘કુદરત’નું નામ આપે, પરંતુ તે પરિબળ શું છે, તેનો પ્રકાર કેવો છે, તેની કાર્યપદ્ધતિ કેવી છે વગેરે જાણવા તેને ઉત્કંઠા થાય છે ત્યારે પૂર્વે થયેલ જ્ઞાની પુરૂષોએ આ બધા પ્રશ્નોના શું જવાબ આપેલ છે તે જાણવા પ્રયત્ન કરે છે. આમ ચિંતનની કે વાંચનની પ્રક્રિયા દરમ્યાન શ્રદ્ધાયુક્ત જે દર્શન થાય તે સમ્યગ પ્રકારનું હોય તો તે ‘સમ્યગ્ દર્શન’ Jain Education International 2010_04 જૈન દર્શનની રેખા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy