SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 90 કરવા પડ્યા તેનું વર્ણન પણ કષ્ટદાયક થઈ પડે તેવું છે. આમ છતાં તેમની શારીરિક કાંતિ કે બળ ઓછા નહોતા થયાં કારણ કે તપશ્ચર્યાની ચાલુ પદ્ધતિમાં માનસિક પરિવર્તનને તેમણે અગત્યનું સ્થાન આપ્યું. તેમના સમયમાં અને તેમના પહેલાં શ્રી પાર્શ્વનાથના સમયમાં પણ નર્યા દેહદમનવાળી શારીરિક તપશ્ચર્યા ઘણી વ્યાપક રીતે થતી હતી. તે જાતની તપસ્યા બુદ્ધ ભગવાને પણ તેમના સંન્યસ્થની પ્રથમ અવસ્થામાં ઘણી કરી પરંતુ તેમને તેથી સમાધાન થયું નહીં. આથી તેમણે ઉગ્ર તપસ્યાનો માર્ગ છોડી મધ્યમ માર્ગ પસંદ કર્યો અને છેક સુધી ઉગ્ર તપસ્યાનો વિરોધ કરતા રહ્યા. પરંતુ મહાવીરને તેમના જેવો અનુભવ થયો નહીં કેમકે તપસ્યાના માર્ગને તેમણે અત્યંતર તપનું સ્વરૂપ આપી એક નવા ચીલા ઉપર મૂકી આપ્યો. અત્યંતર તપથી જે માનસ પરિવર્તન થાય છે તેથી અભ્યાસે ઉગ્ર તપસ્યા પણ સહજ બને છે જેની વિપરીત અસર શરીર કે મન ઉપર થતી નથી. બાર વર્ષની ઉગ્ર તપસ્યા બાદ પણ મહાવીરનું શારીરિક તથા માનસિક બળ સતેજ રહ્યું તેનું આ રહસ્ય છે. - આ રહસ્યને આપણે પામીએ તો વર્તમાનમાં જૈન સમાજ બાહ્ય તપસ્યાને જે વજન આપે છે અને તપસ્યાની ઉજવણી કરે છે તે શાસ્ત્રીય દષ્ટિએ કેટલું યોગ્ય છે તે વિચારવાની જરૂર છે. શ્રી મહાવીર પોતે મહાન તપસ્વી હતા છતાં તામસી તાપસ અને પુરણ તાપસની ઉગ્ર તપસ્યાનું તેમણે અનુમોદન કર્યું નહીં તેનું કારણ એક જ હતું કે ગમે તેવી આકરી તપસ્યા હોય પરંતુ તેથી જો અંતરની આધ્યાત્મિક ગુણવત્તામાં વધારો થાય નહીં તો તે અર્થહીન છે. નવ તત્ત્વો જીવ, અજીવ, કર્મ-બંધન અને કર્મ છેદનની ઉપરની ચર્ચાથી મુક્તિની (મોક્ષની) પ્રક્રિયાના નીચેના તત્ત્વો સિદ્ધ થાય છે, જે જૈન પરિભાષામાં “નવ તત્ત્વ' તરીકે ઓળખાય છે, અને જે નીચે મુજબ છે : (૧) જીવ (૨) અજીવ જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy