SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સુIn ફુલી વાર “કર્મનો કર્તા અને અકર્તા આત્મા જ છે અને તેથી સુખદુઃખનો ભોક્તા પણ તે જ છે.” કર્મ સિદ્ધાંત જયાંસુધી “જીવ' (આત્મા) પુદ્ગલના સંસર્ગથી છૂટો ન થાય ત્યાં સુધી તેની કર્મ-જન્ય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેવાની, અને જો કર્મ જન્મે તો તેની પાછળ કર્મ-ફળ પણ આવવાનું જ. આ વિશ્વમાં કોઈ પણ ક્રિયા એવી નથી કે જેની ફળસ્વરૂપ પ્રતિક્રિયા ન હોય – કાર્યકારણનો આ અચળ નિયમ છે. વિશ્વમાં કોઈ વસ્તુ કે પ્રસંગ આકસ્મિક નથી હોતો. જેનું કારણ આપણે જાણતા નથી તેને આપણે આકસ્મિક ગણીએ છીએ. અગર તો તેમાં ચમત્કારનું આરોપણ કરીએ છીએ. પરંતુ દરેક પ્રસંગ કે હકીકતને તેનું કારણ તો હોય જ છે. જો આમ હોય તો પુદ્ગલના સંસર્ગથી “જીવ' જે કાંઈ સારું કે નરસું કાર્ય કરે તેનું પરિણામ તો તેને જ ભોગવવું પડે. સારા કર્મને આપણે “પુણ્ય તરીકે ઓળખીએ છીએ અને ખરાબ કર્મને “પાપ” તરીકે ઓળખીએ છીએ. આ બંને જાતના કર્મના ફળ હોય છે અને તે ફળનો ભોગવટો કરતાં બીજા કર્મો પણ બંધાવાની શક્યતા છે. જે પુણ્યના સારા ફળ ભોગવતા પાપ કર્મ ઉપાર્જીત થાય તેને “પાપાનુબંધી પુણ્ય કહે છે અને જે પાપ કર્મ કરતાં પુણ્ય' ઉપાર્જીત થાય તેને “પુણ્યાનુબંધી પાપ કહે છે. (દા.ત. કોઈ નિર્દોષ વ્યક્તિની વહારે જતાં હિંસા કરવાની જરૂર ઉભી થાય.) આ રીતે પુણ્ય-પાપનો ચક્રાવો ચાલ્યા જ કરે તો જીવ' કર્મ બંધનથી મુક્ત ક્યારે થાય તેવો પ્રશ્ન સહેજે ઉભો થાય, કારણ કે “જીવ’ સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત ત્યારે જ થાય કે જ્યારે પાપનું બંધન તો ન હોય, પરંતુ પુણ્ય કર્મનું બંધન પણ ન હોય. બંને બંધનો સાંકળ રૂપ છે. ભાવકર્મ ઉપરના પ્રશ્નનો જવાબ એ છે કે સારા નરસા કર્મનું બંધન ત્યારે જ થાય જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy