SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ १० છેલ્લી પ્રગતિની સ્થિતિ ઉત્પન્ન કરવામાં બાધક છે. આથી આત્માની ગતિશીલતા અટકી પડે તે સ્થિતિ ‘અધર્મ’ દ્રવ્યની છે. (૪) (૫) ‘આકાશ-કાળ' બાકી બે દ્રવ્યો રહ્યાં તે આકાશ અને કાળ Space and Time જીવનની તમામ પ્રવૃત્તિઓમાં આ બંનેની જરૂર રહે છે. તે બંને ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે જ નહિ. ન આ પાંચેય દ્રવ્યોના સંસર્ગમાં રહીને ‘જીવ’ આ સંસારમાં પોતાની પ્રવૃત્તિ સારા કે નરસા કાર્યોમાં કરે છે અને કાર્ય-કારણના અફર નિયમ મુજબ તે કાર્યોના સારા નરસા પરિણામ ભોગવે છે. Jain Education International 2010_04 સુખ-દુઃખની ચાવી સંસાર ચક્રની આ સમજ આપણે સ્વીકારીએ તો શું ફલિત થાય છે ? સ્પષ્ટ રીતે જે વાત ફલિત થાય છે તે એ જ કે આપણા સુખ દુઃખની ચાવી આપણા જ હાથમાં છે ઈશ્વર નામની કોઈ બાહ્ય શક્તિના હાથમાં નથી. આપણા એટલે કે આપણા આત્માના આપણામાં રહેલ ચૈતન્ય તત્ત્વના ‘સ્વ’ભાવને સમ્યગ રીતે ઓળખીને તેમાં પ્રગતિ કરીએ તો આપણે ‘અજીવ' દ્રવ્યોની પકડમાંથી છૂટતા જઈએ એટલે કે કષાયોથી મુક્ત થતાં જઈએ જે મુક્તિ આપણને શુદ્ધ ચૈતન્યમય સ્થિતિમાં લઈ જઈ શકે. ‘આપણે’ શબ્દનો પ્રયોગ ‘જીવ’ દ્રવ્ય માટે જ છે કારણ કે જે ‘અજીવ’ દ્રવ્યો છે તે તો ક્ષણિક અને પરદ્રવ્યો છે. તે દ્રવ્યો મારફત જે પ્રવૃત્તિ થાય છે તેનું પરિણામ તો ‘જીવ’ને જ ભોગવવાનું રહે છે. માટે તત્ત્વજ્ઞો કહે છે કે આત્માએ ખરી દિશામાં પ્રગતિ કરવી હોય તો ‘જીવ' ‘અજીવ’ના આ દ્વંદ્રને પ્રથમ સમજવાની ખાસ જરૂર છે. તે સમજાશે તો આપોઆપ જ્ઞાન થશે કે આપણો આત્મા પોતે જ આપણા કર્મનો કર્તા છે, અને કર્મનો કર્તા છે એટલે કર્મ-જન્ય સુખ-દુ:ખનો ભોક્તા પણ છે. તેથી જ તત્વજ્ઞોએ કહ્યું કે ‘બાળત્તા વિત્તા ય જૈન દર્શનની રૂપરેખા For Private & Personal Use Only - - www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy