________________
હકીકતે આ ચારે અંગે આધુનિક ન્યાય પધ્ધતિમાં પણ છે અને દેખીતી રીતે જ આ ચારે અંગો દર્શાવે છે કે જે આખરી નિર્ણય લેવાય તે બન્ને પક્ષની હકીકત સાંભળી તે હકીક્ત બાબતનો પુરાવો લઈને જ લેવાવો જોઈએ. એટલે કે એકાન્તિક ન હોવો જોઈએ.
ન્યાયાધિકારીનો જે આખરી નિર્ણય થાય તેમાં પણ કોઈ એકાન્તદષ્ટિનો નિષેધ કરવામાં આવેલ છે તે બ્રહસ્પતિના નીચેના સૂત્ર ઉપરથી સ્પષ્ટ થશે.
केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णय :
युक्ति हीने विचारेतु धर्महानिः प्रजायते ।। અર્થાત્ ઃ
ન્યાયિક નિર્ણય ફક્ત શાસ્ત્ર-વચન (કાનુની પ્રબંધો) ઉપર જ ન આપવો જોઈએ. જો નિર્ણય યુક્તિહીન, અવ્યવહારૂ (એટલે કે કેસની હકીકતો અને સંજોગોની ઉપેક્ષા કરીને લેવાએલ) હોય તો ધર્માહાનિ - અન્યાય – થવા સંભવ છે. જે વિચારો “યુક્તિદિન” છે એટલે કે પ્રસંગના તમામ દષ્ટિબિન્દુઓને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવેલ છે તેવા વિચારો શુદ્ધ ન્યાય કરવામાં ઉપયોગી થતા નથી અને તેથી “ધર્મહાનિ - અન્યાય - ઉત્પન્ન થાય છે. આ વિધાનો સંપૂર્ણ રીતે અનેકાન્તને જ રજુ કરે છે. તેજ પ્રમાણે આગળ કહે છે:
केवलं शास्त्रमावित्य क्रियते या निर्णयः
व्यवहारस्य विज्ञेयो धर्मस्तेनापि हीयते ।। અર્થાત:
ફક્ત કાનુનમાં લખેલ હકીકતના શબ્દાર્થને વળગી રહીને અને વ્યવહારમાં બનતી હકીક્તોની ઉપેક્ષા કરીને ન્યાય થઈ શકતો નથી.
ફક્ત સંયોગિક પુરાવો હોય ત્યારે ન્યાયધિકારીએ કેવી કાળજી રાખવાની જરૂર છે તે બાબત નારદે કહ્યું છે કે :
कश्चित्कृवाडडत्मनिश्चह्न द्वेषात्परमुपद्रवेत ।
__ युक्तिहेत्वर्थ सम्बन्धैस्तत्र युक्त परीक्षणम् ।। અર્થાત્:
શ્રેષથી પ્રેરાઈને બીજાને ઉપદ્રવ કરવાના હેતુથી માણસો અમુક પ્રકારના સંજોગો ઉત્પન્ન કરે છે. આથી આધાર રાખી શકાય તેવા હેતુથી તમામ પરિસ્થિતિઓનું પરીક્ષણ કરવું જોઈએ.
-અનેકાન્ત દૃષ્ટિ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org