SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહના ગુરૂત્વાકર્ષણની અપેક્ષાએ તેનું વજન જુદુ જ થશે. તેજ રીતે પાંદડાનો રંગ લીલો છે તે તેજ કિરણના વિવિધ રંગો (Spectrum of light)માંથી કોઈ પણ રંગને ગ્રહણ કરવાની પાંદડાની શક્તિ ઉપર આધાર રાખે છે તે શક્તિમાં ફરક પડશે ત્યારે તેનો રંગ ફરી જશે. આ રીતે ઉપરના બન્ને વિધાનો ફક્ત વ્યવહાર નયની દ્રષ્ટિએ જ સાચા છે. સ્યાદ્વાદનો સમન્વય જો આમ હોય તો હવે પ્રશ્ન એ થાય છે કે આપણે અમુક વિધાન સાચું છે કે ખોટું છે તે બાબતનો કોઈ છેલ્લો નિર્ણય લઈ શકીએ જ નહીં તો તેની અભિવ્યક્તિ કેવી રીતે કરવી? આ અભિવ્યક્તિ કરવાની રીત જૈન તત્વજ્ઞોએ આપી છે તેને “સ્યાદ્વાદ” કહે છે. “ચા” શબ્દનો શાબ્દિક અર્થ “સંભવિત” અગર “કદાચ” થાય છે. પરંતુ અહીં તે પ્રથમ અર્થ “સંભવિત”ના ભાવથી જ વપરાય છે. કારણ કે ઉપર જણાવ્યું તેમ ત્રણ કારણોસર કોઈપણ વિધાનનું સંપૂર્ણ સાતત્ય વિવિધ કારણો તથા સંજોગો ઉપર આધાર રાખે છે. તેથી કોઈપણ વિધાનને યથાર્થ રીતે રજુ કરવું હોય તો આપણે કહેવું જોઈએ કે સંભવતઃ આ વાત સાચી છે. પરંતુ અમુક સંજોગોમાં તે ખોટી પણ હોઈ શકે છે. આ બન્ને હકીકતોને સૂત્રાત્મક રીતે રજુ કરવી હોય તો કહીએ કે સાત-અસ્તિ, સ્વાનાસ્તિ. અહીં સ્માતનો અર્થ એટલો જ છે કે અમુક વિધાન અમુક અપેક્ષાએ સાચું છે અને અમુક અપેક્ષાએ સાચું નથી. દા.ત. સંતાનની અપેક્ષાએ એક વ્યક્તિ પિતા છે પરંતુ તેની પત્નિની અપેક્ષાએ અગર તો તેના ભાઈ-બહેનની અપેક્ષાએ અગર તેના માતા-પિતાની અપેક્ષાએ તે “પિતા” નથી. જીવનમાં આપણને જે અનુભવો થાય છે તેમાં આ રીતની હકારાત્મક અને નકારાત્મક પરિસ્થિતિ જ નથી હોતી. એક ત્રીજા પ્રકારની પરિસ્થિતિનો પણ સામનો કરવાનો રહે છે અને તે એવી પરિસ્થિતિ છે કે આપણે “હા” કે “ના” કશું જ કહી શકીએ નહીં. આવી પરિસ્થિતિને “અવક્તવ્ય” કહે છે. આથી કોઈપણ વિધાનની ત્રણ અવસ્થા હોઈ શકે. (૧) કાં તો તે સાચું છે, (૨) કાં તો તે ખોટું છે અને (૩) કાં તો તે અવક્તવ્ય છે – “સ્યા-અસ્તિ”, “સ્યાનાસ્તિ”, “સ્યા-અવક્તવ્ય”. આ ત્રીસૂત્રાત્મક અવસ્થાને સ્યાદ્વાદ કહેવાય છે તેના મુળમાં નયવાદ છે. આથી જો નયવાદ વિશ્લેષણાત્મક છે તો સ્યાદ્વાદ સમન્વયાત્મક છે, અને નયવાદની સૂત્રાત્મક અભિવ્યક્તિ છે. આચાર્ય હેમચંદ્રજી તેને અનેકાન્ત તરીકે ઓળખે છે અને કહે છે; થાત્ રૂત્યયમાન્તોતમ્ I (8) અનેકાન્ત દૃષ્ટિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004589
Book TitleJivan Vyavaharni Sahajikta
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy