________________
૧૫૮
શ્રાવક કવિ મનસુખલાલ
આ શબ્દાર્થ અત્રે નમૂના રૂપે નોંધવામાં આવ્યા છે.
કવિએ ગ્રંથરચનામાં અર્થપૂર્ણ અને રહસ્યમય શીર્ષકની પસંદગી કરી છે. શીર્ષક સંક્ષિપ્ત છતાં નમૂનેદાર છે. સુમતિપ્રકાશ સુમતિ વ્યવહાર અને સુમતિ વિલાસમાં “સુમતિ” શબ્દ વિશિષ્ટ પ્રયોજનથી મૂક્યો છે. શાસ્ત્રમાં દર્શાવેલા માર્ગને છોડીને ઉન્માર્ગે જતા જીવોને સુમતિ - સારી મતિથી જ્ઞાનનો પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ્ઞાન ભૌતિક સુખસામગ્રી માટે નથી પણ આત્માના શાશ્વત સુખના સામ્રાજ્યને સ્પર્શે છે. જ્ઞાનનો પ્રકાશ થયા પછી તેનો વ્યવહાર થાય અને વ્યવહારમાંથી આત્મા આત્મિક સુખમાં વિલાસ કરે એવી પરમોચ્ચ ભાવના શીર્ષક દ્વારા વ્યક્ત થયેલી છે.
સુમતિવિલાસ સંપૂર્ણ પદ્યરચના નથી. તેમાં ગદ્યનો પણ પ્રયોગ થયો છે. આ ગદ્ય વિવેચનાત્મક પદ્ધતિનું છે કે જેમાં તત્ત્વજ્ઞાનને લગતી માહિતી - પારિભાષિક શબ્દોની સમજૂતી આપવામાં આવી છે. કવિએ તાત્વિક સ્પષ્ટીકરણમાં દૃષ્ટાંત તરીકે કથાનો આશ્રય લીધો છે. દા.ત., દૃષ્ટિરાગ એ મહાભયંકર છે. તેને સ્પષ્ટ કરવા માટે “રક્તપુરૂષની કથા” આપી છે. નમૂના રૂપે એક પરિચ્છેદ જોઈએ તો તે ઉપરથી એમની ગદ્ય રચનાનો પરિચય થાય.
તાત્ત્વિક વિચારો પ્રગટે તે માટે કવિએ સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકોનો આશ્રય લીધો છે. તેમાં શ્લોકનો અનુવાદ ગદ્યમાં આપ્યો છે. માત્ર અર્થ નથી આપ્યો, તેની સાથે ટૂંકું વિવેચન - સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું છે.
પુઆ પચ્ચખણ, પોસઠા ઉપવાસ દાણ સીલાઇ
સવૅપિ અણહણ, નિરછયું કણય કુસુમવ // જિનપૂજા, મહાવ્રત, પ્રમુખ મૂલોત્તર ગુણ, પચ્ચખ્ખાણ, પોસહ, પર્વતિથિ અનુષ્ઠાન, ઉપવાસ ચઉવિહાર, દાનશીલ બ્રહ્મચર્ય ઇત્યાદિક સર્વ અનુષ્ઠાન આણા રહિતને ધંતૂરાના ફૂલની પેઠે નિરર્થક જાણવાં. જેમ ધંતૂરાનું ફૂલ દેખીતું શોભે છે. પણ અંદરથી ઝેરવાળું અને સુગંધી રહિત તેમ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org