________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૫૫
હાલની પ્રજાને એવા જ પુસ્તકોની જરૂર છે. જૈન પ્રજામાં હાલ આત્મિક જ્ઞાન લય પામ્યા જેવું થઈ ગયું છે. સાધુ વર્ગમાં પણ જવલ્લે જ એવા કોઈ હશે.
તા. ૫-૬-૧૯૦૮, આટકોટ દલપતરામ વનમાળીદાસ જણાવે છે કે –
આ પુસ્તકનું નામ રાખ્યું છે તે જેવું નામ તેવો જ ગુણ છે. “યથા નામા તથા ગુણા.
તા. ૮-૪-૧૯૦૮, વઢવાણ ઘેલાભાઈ રવજીભાઈ લખે છે કે –
આપે પરિશ્રમ લઈને જ્ઞાનની વૃદ્ધિ સવિચારના પ્રબલ આખ્યાનનું “સુમતિ વિલાસ' નામનું પુસ્તક છપાવ્યું છે તે ઘણું રસિક, મનોવૃત્તિ નિર્મલ થવાનું, મોક્ષમાર્ગનું પગથિયું કહીએ તો ચાલે.
તા. ૨૨-૧-૧૯૦૮, બોરસદ ક્ષમામુનિ લખે છે કે
આ પુસ્તક વાંચી મારું ચિત્ત નિર્મલ થયું છે. કાંઈક અનુભવ પ્રાપ્ત થશે એમ લાગે છે. આ પુસ્તક અતિ અમૂલ્ય છે.
*
*
*
ઉપરોક્ત પત્રોનું લખાણ મનસુખલાલજીની વિદ્વત્તા કે પ્રભુતા દર્શાવવા માટે નથી પણ આવા તત્ત્વજ્ઞાન ગ્રંથોના ગાઢ અધ્યયનથી આત્માસ્વરૂપની અનુભૂતિ માટે અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં રઝળપાટ કરતા
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org