SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૫૫ હાલની પ્રજાને એવા જ પુસ્તકોની જરૂર છે. જૈન પ્રજામાં હાલ આત્મિક જ્ઞાન લય પામ્યા જેવું થઈ ગયું છે. સાધુ વર્ગમાં પણ જવલ્લે જ એવા કોઈ હશે. તા. ૫-૬-૧૯૦૮, આટકોટ દલપતરામ વનમાળીદાસ જણાવે છે કે – આ પુસ્તકનું નામ રાખ્યું છે તે જેવું નામ તેવો જ ગુણ છે. “યથા નામા તથા ગુણા. તા. ૮-૪-૧૯૦૮, વઢવાણ ઘેલાભાઈ રવજીભાઈ લખે છે કે – આપે પરિશ્રમ લઈને જ્ઞાનની વૃદ્ધિ સવિચારના પ્રબલ આખ્યાનનું “સુમતિ વિલાસ' નામનું પુસ્તક છપાવ્યું છે તે ઘણું રસિક, મનોવૃત્તિ નિર્મલ થવાનું, મોક્ષમાર્ગનું પગથિયું કહીએ તો ચાલે. તા. ૨૨-૧-૧૯૦૮, બોરસદ ક્ષમામુનિ લખે છે કે આ પુસ્તક વાંચી મારું ચિત્ત નિર્મલ થયું છે. કાંઈક અનુભવ પ્રાપ્ત થશે એમ લાગે છે. આ પુસ્તક અતિ અમૂલ્ય છે. * * * ઉપરોક્ત પત્રોનું લખાણ મનસુખલાલજીની વિદ્વત્તા કે પ્રભુતા દર્શાવવા માટે નથી પણ આવા તત્ત્વજ્ઞાન ગ્રંથોના ગાઢ અધ્યયનથી આત્માસ્વરૂપની અનુભૂતિ માટે અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં રઝળપાટ કરતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy