SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શ્રાવક કવિ મનસુખલાલ જૂઠ તન ધન જૂઠ જોબન, જૂઠા તે ઘરવાસા, આનંદ ધન કહે સબ હી જૂઠ, સાચા શીવપુરવાસા // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૯૧) કવિ ગંગના પદમાં શિયળ-બ્રહ્મચર્યનો મહિમા વ્યક્ત થયો છે. સર્વ વ્રતોમાં શિરામણિ એવું શીલ શિવપદ માટે પ્રધાન ગણાય છે : શીયલ ભવિ ધારો રે ભવિ, શીયલ ધરમકા મૂલ. શીયલ શેઠ સુદર્શન પાળ્યો, શૂલી ભઈ રે વિમાન. શીયલ. // ૧ / સતી સીતાએ શીલ પ્રભાવે, અગ્નિ ફી ભયો પાણી. રીયલ. // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૯૮) પંડિત હરસુખના પદમાં વિચારણા તત્ત્વની થઈ છે. ચિદાનંદ તેરો હિ જ્ઞાન વિચાર, નવતત્ત્વ પટદ્રવ્ય પદારથ, ઇનકા ભેદ વિચાર, દયા ધર્મ હિ હૃદયમેં ધરકે, જિનવરનામ સંભાર //. ૧ / (જે.કા.પ્ર., પા. ૪૦૩) કવિ ઉદયરત્નનાં પદોમાં ભરપૂર વૈરાગ્ય અને ભક્તિભાવનાનો સમન્વય થયેલો છે. પ્રભુભક્તિનાં પદોમાં પણ ઊંડે ઊંડે વૈરાગ્યભાવ નિહિત છે. કવિએ ચિત્રાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રભુમૂર્તિનો મહિમા વર્ણવ્યો છે : અજબ બની છે સૂરત જિનજીકી, ખૂબ બની હૈ મૂરત જિનજીકી, નિરખત નયન થકિત ભયે મેરે, મીટ ગઈ પલકમેં મૂઢતા મનકી. અજબ. // ૧ / (જી.કા.પ્ર.પા. ૩૪૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy