SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) પ્રવચન માતા ધર્મ માતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) - પુણ્ય પછી ધર્મનું સર્જન થવું જોઈએ. (૪) ધ્યાન માતા - ત્રિપદી (ઉત્પા ્, વ્યય અને ધ્રુવ) પ્રથમની ત્રણે ય માતાઓ આપણને છેલ્લે ધ્યાનમાતા’ ના ખોળે મૂકી દે. પણ પ્રારંભ ક્રમશઃ જ થશે. સીધું ધ્યાન કદાપિ નહીં આવે. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત ‘ભક્તિબત્રીશી'ના સંકલનકાર પૂ.આ. ભગવંત શ્રી વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. સાહેબ પ્રતિષ્ઠાના સ્વરૂપમાં જણાવે છે કે મોક્ષે ગયેલા શ્રી વીતરાગ પરમાત્માને ઉદ્દેશીને પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિની આત્મા (પોતામાં) જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા કરાવનારમાં જ, શ્રી વીતરાગત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ અને સિદ્ધત્વ વગેરે ગુણોનું અવગાહન કરનારી પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિ સ્વરૂપ ભાવની જે સ્થાપના છે, તે મુખ્ય પ્રતિષ્ઠા છે. ચારે નિક્ષેપે હાજરાહજૂર પરમાત્મામાંથી ‘સ્થાપના નિક્ષેપો’ આ રીતે આપણે સમજવો જોઈએ. અનેક ગ્રંથરત્નોના ગર્ભમાં મોતીની જેમ વિખરાયેલા એવા આત્મહિતકારી અનેકવિધ પદાર્થો જેવા કે ધર્મતીર્થ, સમોવસરણ, પર્ષદા, દેશના, દ્વાદશાંગી, સામાયિક, લેશ્યા, ધ્યાન, યોગ, ગુણસ્થાનક, ગણિત, ભૂગોળ આદિ વિધવિધ વિષયોના રહસ્યમય તત્ત્વના નિચોડનું એક સ્થાને નય-નિક્ષેપપ્રમાણ-ઉત્સર્ગ-અપવાદના સમન્વયપૂર્વક સમ્યક્ સંકલનને જોતાં, દરેક શ્રાવક-શ્રાવિકાના મુખમાંથી પ્રધાનં સર્વ ધર્માણં' સાહજિક રીતે સરી પડે છે. પર્યુષણ મહા પર્વ વેળાએ, ચિંતન માટે નીચેના શ્લોકો પર વિચારવું : (૧) ધમ્માં ધંધુ સુમિત્તો ય, ધમ્માં ય પરમગુરુ । મુદ્દામા ચડ્ડાળ, ધમ્માં પરમસંતનાં ।। - વૈરાગ્યશતક ધર્મ આપણો બંધુ છે, સારો મિત્ર છે, શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે. (२) अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य આત્મા પોતે જ પોતાના સુખ-દુઃખનો કર્તા છે. (૩) ત્રર્મમય સંમાર:, સંસાર નિમિત્તઃ પુનવુ:ūામ્ - પ્રશમરતિ-શ્લોક ૫૭ કર્મનો વિકાર સંસાર છે અને સંસારના કારણે જ દુ:ખ છે. (૪) ઞયમાત્મય સંમાર:, વાયેન્દ્રિય નિનિત - યોગશાસ્ત્ર - પ્રકાશ ચોથો, શ્લોક ૫ કષાય અને ઇન્દ્રિયોથી જિતાયેલ આત્મા જ સંસાર છે. - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રુતસરિતા Jain Education International. 2010_03 ( 4 ) सर्वाश्रव निरोधकैः एक ही रस जिनशासनम् । સર્વ આશ્રવોનો નિરોધ - આ એક જ વાતમાં જિનશાસનને રસ છે. અપેક્ષાએ, નિર્જરા (Cure) કરતાં આશ્રવનિરોધ (Prevention) તરફ પુરુષાર્થ કરવો વધુ ઉત્તમ છે. માટે તો અંગ્રેજી ૩૯૪ For Private & Personal Use Only પત્રાવલિ www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy