SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકાર મંત્રની આરાધના વિધિ ઉત્કૃષ્ટ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધના ૧૮ દિવસના ઉપધાન (જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય તે) વહન કરી ગુરુમુખે નવકાર ગ્રહણ કરે તે અઢારિયું. ૧૮ દિવસ સુધી એકાંતરે ઉપવાસ અને એકાસણું-ગુરુનિશ્રાએ પૌષધ-૧૦૦ ખમાસમણાં, ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ, રોજ ૨૦૦૦ નવકાર જાપ. મધ્યમ – વીસ દિવસ આયંબીલ અથવા ખીરના એકાસણા કરી રોજના ૫,000 નવકાર જાપ ગણી સફેદ ફૂલ પ્રભુને ચઢાવતા જઈ જાય. જઘન્ય – નવ દિવસ એકાસણા કરી લઘુતપની વિધિપૂર્વક આરાધના. સામાન્ય – ૩/,/પ૯ વર્ષમાં કુલ ૫ લાખ કે નવ લાખ નવકાર મંત્ર ગણવો. શ્રી નવકાર મંત્રની જાપ પદ્ધતિ નિશ્ચિત સમય - શ્રેષ્ઠ સમય : સૂર્યોદય, બપોરના ૧૨ અને સૂર્યાસ્તની ૨૪ મિનિટ અગાઉ અને પાછળ. મધ્યમ સમય : સૂર્યોદય પછી એક કલાક. સામાન્ય સમય : સૂર્યોદય પછી સવારના ૧૦ વાગ્યા સુધી. નિશ્ચિત આસન – શ્વેત રંગનું કટાસણું - સફેદ વસ્ત્ર પહેરીને બેસવું - ટટાર બેસવું - હોઠ બંધ - ઉપરના અને નીચેના દાંત એકબીજાને અડવા જોઈએ નહીં. નિશ્ચિત દિશા – પૂર્વ કે ઉત્તર દિશામાં બેસી જાપ કરવા - ધૂપ - દીપ કરવો. નિશ્ચિત માળા – શ્વેત માળા (સૂતર, સ્ફટિક અથવા ચાંદીની) શ્રેષ્ઠ સૂતરની માળા - પ્લાસ્ટિકના મણકાની માળા ગણવી નહીં - માળા ગણતી વેળાએ નાસિકા અને નાભિના મધ્યભાગમાં રાખવી – આંગળીથી વેઢા ઉપર ગણવી હોય તો શંખાવૃત્ત અને નંદાવૃત્તના માધ્યમથી ગણવી. નિશ્ચિત સંખ્યા – એકબે પાંચ કે અન્ય કોઈ સંખ્યાની નવકારવાળી ગણવી. શ્રી નવકાર મંત્રની આરાધનાનું ફળ ઉત્તમોત્તમ ફળ – પંચ પરમેષ્ઠિની સાધના સાધકને પરમેષ્ઠિ બનાવે અને ક્રમે ક્રમે સર્વથા કર્મમુક્ત બનાવી સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવે. ઉત્તમ ફળ – અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ કરાવે - મન પ્રફુલ્લિત બને - સંતોષવૃત્તિ પ્રગટે - કષાયો મંદ પડે - ગુણોની વૃદ્ધિ થાય. મધ્યમ ફળ – જગત સાધકને અનુકૂળ વર્તે - અંતઃકરણ અને વિચારો પવિત્ર બને - વિચારોમાં શુદ્ધતા દ્વારા ધર્મની પ્રવૃત્તિ વધે - આંતરિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક શુદ્ધિકરણ થાય - આવેશનો અગ્નિ સંસ્કાર થાય - પ્રશમની પ્રાપ્તિ થાય - મૈત્રીનો મંગલનાદ થાય. સામાન્ય ફળ – કાયાનો રોગ ઉત્પન્ન થાય નહીં - થયેલા રોગાદિ વિનાશ પામે - પરમ પંથે પ્રયાણ કરવાના પ્રબલ પુરુષાર્થની પાવન પ્રેરણા મળે. નવકાર મંત્રયુકત મંગલ ૧ ૬ શ્રુતસરિતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy