SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. દિ ને દિવ ને ? મારું કર્તવ્ય કર્યું કે નહિ? ૯. એ દિવં ચ વિ શેખ ? મારે કરવાનું કર્તવ્ય શું બાકી રહ્યું ? ૧૦. વિંદ સાબિન્ને સમયમ ? પ્રમાદથી હું શું નથી કરતો ? ૧૧. વિ. ને જો પાસ ? મારા કયા ક્યા દોષો બીજાઓ જુએ છે? ૧૨. હિંદ ૨ સપ્પા ? મારામાં કયા કયા દોષો છે ? તે હું ક્યારે દૂર કરીશ, તેવું વિચારવું. ૧૩. વિંદ હું નિશં વિMar? મારા તે દોષો કેમ દૂર થતા નથી? તેની વિચારણા કરવી. આવી રીતે ધર્મ જાગરિકા કરવાથી નિષ્કપટીપણું આવે છે. બીજાઓ પ્રત્યે હૈયું કૂણું બને છે. પછી ધર્મબીજ વાવો, અંકુર ફૂટવા માંડે છે. માટે ભદ્રિક ભાવ માટે હૈયાની સાફસૂફી રોજ થવી જોઈએ. इहहिं मरहे केई जीवा, मिच्छादि ट्ठिय मदवा मावा । ते मदीउण नव मे, वरिसंमि हुँति के वलिणो ।। • આ ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે જ્ઞાની ભગવંતોને પૂછે, ત્યારે તેઓ કહે છે કે, આ ભરત ક્ષેત્રમાં મિથ્યા દષ્ટિ ભદ્રિક ભાવવાળા જીવો છે. તેઓ મૃત્યુ પામીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી આઠમે વરસે દીક્ષા લઈ, નવમે વરસે કેવળજ્ઞાન પામી મોક્ષે સંચરે છે. આવા શ્રાવકો ભરત ક્ષેત્રમાં છે. સર્વ ધર્મ ક્રિયાઓ રાગદ્વેષને પાતળા બનાવી, ભદ્રિક ભાવ લાવવા માટે છે. જ્યાં હૈયું સરળ, ઋજુ, નિષ્કપટી બન્યું ત્યાં ધર્મબીજથી કર્મબંધ અલ્પ થાય અને ભદ્રિક ભાવના કારણે કર્મોની નિર્જરા કરી; પરમપદના ભાગી બને છે. પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામીના સુશિષ્ય શ્રી નિરંજન મુનિજી લિખિત “શ્રી જૈન તત્ત્વસાર’માંથી સાભાર શ્રાવકનાં ર૧ લક્ષણ (૧) અલ્પ ઈચ્છા : શ્રાવક ધનની, વિષયની તૃષ્ણા ઓછી કરી અલ્પ તૃષ્ણાવાળો હોય છે. ધન અને વિષયની પ્રાપ્ત સામગ્રીમાં પણ અત્યંત લુબ્ધ થતો ન હોવાથી અલ્પ ઇચ્છાવાન બને છે. (૨) અલ્પારંભી જે કાર્યમાં પૃથ્વી આદિ છ કાયની હિંસા થતી હોય તેવાં કાર્યોની વૃદ્ધિ કરે નહિ, પરંતુ પ્રતિદિન અલ્પ કરતો રહે, અનર્થાદંડથી સદૈવ દૂર રહેતો હોવાથી અલ્પારંભી હોય છે. અલ્પ પરિગ્રહ : શ્રાવકની પાસે જેટલો પરિગ્રહ (સંપત્તિ) હોય છે તેટલાથી સંતોષ માની અથવા ૯ પ્રકારના પરિગ્રહનું પરિણામ કરી તેથી વધારે મેળવવાની ઇચ્છાનો નિરોધ કરે છે. પુણ્યોદયે પ્રાપ્ત થયેલ પરિગ્રહનો સન્માર્ગે વ્યય પણ કરતો રહે છે અને અન્યાયોપાર્જિત દ્રવ્યોનો અણવંચ્છક હોવાથી અલ્પ પરિગ્રહી કહેવાય છે. સુશીલ : શ્રાવક પરસ્ત્રીનો ત્યાગી તો હોય છે પણ સ્વદારાથી પણ મર્યાદિત હોવાથી શીલવંત કહેવાય છે. સુતી : શ્રાવક ગ્રહણ કરેલાં વ્રત, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે અને ચડતે પરિણામે પાલન કરતો હોવાથી “સુવ્રતી' ભલાં વ્રતવાળો કહેવાય છે. (૬) ધર્મિષ્ઠ : ધર્મકરણીમાં નિરંતર દત્તચિત્ત રહેવાથી શ્રાવક ધર્મિષ્ઠ કહેવાય છે. (૭) ધર્મવૃત્તિ: શ્રાવક મન આદિ ત્રણે યોગથી સદૈવ ધર્મમાર્ગમાં રમણ કરનાર હોવાથી ધર્મમાં જ વર્તમાન હોય છે. શ્રાવક ધર્મ ૧૮૪ શ્રુતસરિતા (૪) (૫) For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy