SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ૧. સંઘવ્યવસ્થા ૪. પરિતૃપ્ત કરીને આપવામાં આવતી. (૪) ૧-૩. ઉપર પ્રમાણે ૪. વિહગગતિ પ્રવજ્યા (જેને સૌ કોઈ મરી ખૂટયું હોય તેવા એકાકીની દીક્ષા). (૫) ૧. નટખાદિતા (સવેગશૂન્ય હોવા છતાં નટની પેઠે બાહ્ય વેશ ભજવી આહારપ્રાપ્તિ માટે લેવાતી); ૨. ભટખાદિતા (પોતાના બળનું ભટની જેમ પ્રદર્શન કરીને અથવા આડંબરપ્રિય થઈ ભિક્ષા મેળવનારની પ્રત્રજ્યા); ૩. સિંહબાદિતા (સિંહની પેઠે હકનું ખાતો હેય તેમ તથા ડર વિના કે હીનતાનો ભાવ લાવ્યા વિના કે બીજે દૂર લઈ ગયા વિના મળે ત્યાં જ ખાઈ લેનારની દીક્ષા); ૪. શગાળખાદિતા (શિયાળની પેઠે ભાગ્યવશાત આ તે મળ્યું છે એમ હીનતાના ભાવથી તથા દૂર લઈ જઈને ખાય તેની દીક્ષા). (૬) કૃષિ ચાર પ્રકારની છે– ૧. એક વખત વાવવું પડે તેવી (જાર બાજરાની); ૨. વારંવાર વાવવું પડે તેવી (ચોખાની); ૩. એક વખત નીદવું પડે તેવી; ૪. વારંવાર નીંદવું પડે તેવી. પ્રવજ્યા પણ કૃષિની જેમ ચાર પ્રકારની છે." ૧. (૧) વચલા બાવીસ તીર્થ કરના સાધુઓને એક વખત સામાયિક ચારિત્ર આપવું પડતું અને તે ચાવજજીવ રહેતું, તે પહેલા પ્રકારની ખેતી જેવું ગણાય. (૨) મહાવ્રતમાં દેષ લાગ્યા હોય તેથી ફરી નવેસર પાંચ મહાવ્રતનું આરોપણ કરવું પડે તે બીજા પ્રકારની ખેતી જેવું ગણાય (પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં નવદીક્ષિતને અતિચાર ન હોય છત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy