SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર બધી એટલે કે ૯૦ મહાનદીઓની ઊંડાઈ અને વિસ્તાર નીચે પ્રમાણે– आदि विस्तार अंत विस्तार आदि ऊंडाई अंते ऊंडाई ભરતરવતની ૪ અને ૨ ૩૨ વિજયની ૬૪ ) ૧૩ ચોર કર . યો. ૧} યોગ હિમવંત-હરણ્યવંતની ર૧ , અને અંતર-નદી ૧૨ છે ૧૨૫ ,, ? ” ચો૨૦ હરિવર્ષ–રમ્યગ્દર્ષની ૪ ૨૫ , ૨૫૦ ,, 3 મહાવિદેહની ર પ ૦ , પ૦૦ , ૧ , ૧૦ , ૨૫. નદીઓ અને તીર્થકર, ચકવર્તી વગેરે – શીતા અને શીતાદા નદીના બને કિનારા પરના બધા મળીને ૩૨ વિજયો છે. એટલે ઉત્કૃષ્ટથી, પ્રત્યેક વિજયમાં એક એક તીર્થ કર હોય તો ૩૨ થાય. અને પ્રત્યેક કિનારા પરના આઠ-આઠ વિજયોમાં આઠ– આઠ તીર્થ કરનો સંભવ થાય. અહીં તીર્થ કરની જેમ ચક્રવતી અને બળદેવ-વાસુદેવની ઉત્પત્તિ પણ આઠ-આઠની સંખ્યામાં કહી છે. પણ એક સમયે વિજયોમાં ૩ર ચક્રવતીનો સંભવ જ નથી; કારણ કે શાસ્ત્રકારોના જ મત પ્રમાણે મહાવિદેહમાં જઘન્યપદે પણ ચાર વાસુદેવે તો હોય જ છે. કદી પણ ચારથી ઓછા વાસુદેવ મહાવિદેહમાં સંભવે જ નહિ. અને જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી હોય જ નહિ એ પણ શાસ્ત્રને નિયમ છે. એટલે જે ચાર વિજયમાં એ વાસુદેવ હશે ત્યાં ચક્રવર્તી થશે જ નહિ. તેથી ઉત્કૃષ્ટપદે મહાવિદેહમાં ચક્રવતી ૨૮ જ હોવાનો સંભવ છે. ૩૨ નો નહિ જ.’ વળી વિજયોમાં તીર્થકર પણ જઘન્યથી ચાર તો હોય જ છે. એટલે વાસુદેવ પણ ૩રની સંખ્યામાં વિજયમાં કદી એકસાથે થશે નહિં પણ ૨૮ ને સંભવ છે. તે જ પ્રમાણે બળદેવ જે વાસુદેવના સહચારી જ હોય છે, તે પણ ૩૨ નહીં પણ ઉત્કૃષ્ટથી ૨૮ જ સંભવે. ૨૬. નદીને કિનારે આઠ આઠઃ મહાવિદેહમાં પૂર્વમાં શતા અને પશ્ચિમમાં શીતદા નદી વહે છે. એ નદીઓના પ્રત્યેક કિનારે આઠ વિજય હોય છે. એટલે સર્વ મળી ૩૨ વિજય થાય. તે જ પ્રમાણે એ નદીઓના પ્રત્યેક કિનારે જે આઠ આઠની સંખ્યામાં છે તે અહીં પ્રસ્તુત છે. શીતાનદીના ઉત્તર કિનારે આઠ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy