SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ ૧ શ્રમણે બેલ્યા – “હે ભગવદ્ ! એ દુઃખ કોણે કર્યું?” ભગવાન – ‘જીવે જ એ દુઃખ પિતાના પ્રમાદવશ ઉત્પન્ન કર્યું છે?” શ્રમણ – “હે ભગવન ! એ દુ:ખને જોગવવું કેવી રીતે ?” ભગવાન – “અપ્રમત્ત થઈ એ દુઃખ જોગવવું જોઈએ. [–સ્થા. ૧૬૬] ચાર દુઃખશય્યા છે – ૧. ઘરબાર છોડી અણગાર થયે પણ પછી જિનપ્રવચન વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે અને જિનપ્રવ-- ચનમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિહીન થાય એટલે તેને બુદ્ધિભેદ થાય છે, આ પ્રથમ દુઃખશય્યા છે. ૨. ઘરબાર છેડી શ્રમણ તે થાય પણ પછી જે કાંઈ મળે તેથી સંતુષ્ટ ન થતાં બીજા પાસેથી વધારે પ્રાપ્તિની આશા રાખે છે અને તેથી તેની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી અને ધમભ્રષ્ટ થાય છે, આ બીજી દુઃખશય્યા છે. ૩. અણગાર થયા પછી પણ માનુષિક અને દૈવી કામગોનો આસ્વાદ લે અને વધારેની ઈચ્છા રાખે તથા આખરે ધર્મભ્રષ્ટ થાય, તે ત્રીજી દુખશય્યા છે. * ૪. અણગાર થયા પછી ગૃહસ્થજીવનમાં સ્નાન અને શરીરશુશ્રષા જે કરી હોય તેની યાદ લાવી મનમાં સંતાપ કરે કે, “આ સાધુ અવસ્થા તો કષ્ટદાયી છે જેમાં સ્નાન થાય * સરખાવ, અંગુત્તર૦ ૧,૬૮–૯ :– “પ્રમાદ જેવી બીજી કોઈ વસ્તુ હું નથી જેતો જે અનુત્પન્ન અકુશલને ઉત્પન્ન કરે અને ઉત્પન્ન કુલધર્મને નાશ કરે. પ્રમાદ જ એવો છે જે બધા અકુશલને ઉત્પન્ન કરે છે અને કુશલ ધર્મોને નાશ કરે છે.” ભગવાન બુદ્ધે આમ કહીને પછી અપ્રમાદને તેથી વિપરીત કહ્યો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy