SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ 8 મધ્યકાલીન સમયમાં મૂળ ગ્રંથ પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચવાને બદલે લોકભાષાઓમાં સરળ અને સુબોધ આગમિક વ્યાખ્યાઓ લખવાની પરંપરા શરૂ થઈ. સાધારણ કક્ષાના પાઠકો પણ મૂળ સૂત્રોના અર્થ સહજ રીતે સમજી શકે તે હેતુથી અપભ્રંશ કે ત્યાર પછીની પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધો લખવાનો પ્રારંભ થયો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંખ્યાબંધ બાલાવબોધ રચાયા છે. સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓમાં સંઘરાયેલા શાસ્ત્રજ્ઞાનને લોકભાષાઓ દ્વારા બહુજનસમાજ સમક્ષ સરલ સ્વરુપમાં મૂકવાની જે પ્રવૃત્તિ મધ્ય કાલમાં સમસ્ત ભારતવર્ષમાં નજરે પડે છે તે જ આ બાલાવબોધોની બહોળી અનુવાદપ્રવૃત્તિમાં ચાલક બળરૂપે છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ ગણાશે. રૂપષ્ટિ તેમજ અર્થદષ્ટિએ ભાષાવિકાસના અભ્યાસ માટે બાલાવબોધસમેત જૂનું ગદ્યસાહિત્ય બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. ‘બાલ' એટલે વયમાં નહિ, પણ સમજ કે જ્ઞાનમાં બાલ; એના ‘અવબોધ’ માટે થયેલી રચનાઓ તે ‘બાલાવબોધ’. ગુજરાતીમાં જૂનામાં જૂનું ગદ્યસાહિત્ય જૈન શાસ્ત્રગ્રન્થોના બાલાવબોધ રૂપે છે. બાલાવબોધ આમ જો કે જૈન સાહિત્યનો શબ્દ છે, પણ એનો અર્થ સહેજ વિસ્તારીને ‘ભાગવત્, ‘ભગવદ્ગીતા’, ‘ગીતગોવિન્દ’, ‘ચાણક્યનીતિશાસ્ત્ર, ‘યોગવસિષ્ઠ’, ‘સિંહાસનબત્રીસી’, ‘પંચાખ્યાન ‘ગણિતસાર' આદિ જે બીજી અનુવાદરુપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઇતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય. કેમકે આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં કેટલીક વાર મૂલ ગ્રન્થનું ભાષાન્તર હોય છે, તો કેટલીક વાર દૃષ્ટાન્તકથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂલનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. પણ બાલાવબોધનો એક ઉત્તરકાલીન પ્રકાર ‘સ્તબક' અથવા ‘ટબા' રૂપે ઓળખાય છે તેમાં માત્ર શબ્દશઃ ભાષાન્તર જ હોય છે. એમાં ‘સ્તબક’ ની પોથીઓની લેખનપદ્ધતિ કારણભૂત છે. બાલાવબોધના વાચકો કરતાં પણ જેમનું શાસ્ત્રજ્ઞાન કે ભાષાજ્ઞાન મર્યાદિત હોય તેવા વાચકોને ધ્યાનમાં રાખીને ‘સ્તબક’ ની રચના થયેલી છે. એમાં પોથીના પ્રત્યેક પૃષ્ઠ ઉપર શાસ્ત્રગ્રન્થની ત્રણ કે ચાર પંક્તિ મોટા અક્ષરોમાં લખવામાં આવતી અને પ્રત્યેક પંક્તિની નીચે ઝીણા અક્ષરમાં ગુજરાતીમાં એનો અર્થ લખવામાં આવતો, જેથી વાચકને પ્રત્યેક શબ્દનો ભાવ સમજવામાં સરળતા થાય. આ પ્રકારની લેખનપદ્ધતિને કારણે પ્રત્યેક પૃષ્ઠ ઉપર નાના અને મોટા અક્ષરોમાં લખાયેલી પંક્તિઓમાં જાણે કે ‘સ્તબક’ ઝૂમખાં રચાયાં હોય એમ જણાતું, એ ઉપરથી આ પ્રકારના અનુવાદ માટે ‘સ્તબક’ શબ્દ વપરાયો, જેમાંથી ગુજરાતી ‘ટબો' વ્યુત્પન્ન થયો. બાલાવબોધના કર્તાઓ પોતાના વિષયના જાણકાર વિદ્વાનો હતા એ કારણે એમના અનુવાદો શિષ્ટ હોય છે અને શબ્દોની પસંદગી મૂળને અનુસરતી તથા સમુચિત અર્થની વાહક હોય છે. એમનો પ્રથમ ઉદ્દેશ સાહિત્યિક આનંદ આપવાનો નહિ, પણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy