SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વાચકને મૂળ ગ્રન્થના વિષય-વસ્તુનું જ્ઞાન કરાવવાનો હોય છે, છતાં અનેક ગ્રન્થોમાં સાહિત્યિક વાર્તાલાપ-શૈલી કે અલંકારપ્રચુર વર્ણનશૈલીની એંધાણીઓ વરતાય છે. જૈન સાહિત્યનો એક મોટો જથ્થો તે બાલાવબોધ, સ્તબક કે ટબાને નામે ઓળખતી ગદ્યરચનાઓનો છે. આ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત કે કવચિત ગુજરાતી ભાષાના કોઈ મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતી કે શબ્દાર્થ આપે છે. બાલાવબોધોનો વિષયવિસ્તાર ખાસ ધ્યાન ખેંચે એવો છે. જૈન સૈદ્ધાત્તિક અને અન્ય સાંપ્રદાયિક કૃતિઓના બાલાવબોધો રચાયા – જેમકે કર્મપ્રકૃતિ, પડાવશ્યક વગેરે વિશેના બાલાવબોધો-એ તો સમજાય, પણ તે ઉપરાંત છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, રમલશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર આદિ અનેક વિષયોના બાલાવબોધો પ્રાપ્ત થાય એ ધ્યાન ખેંચ્યા વિના ન રહે. જેમકે, આ સમયમાં વાભદાલંકાર' જેવા અલંકારશાસ્ત્રના મહત્વના ગ્રંથનો અનુવાદ પણ થયો છે. જૈન સાધુઓની વ્યાપક જ્ઞાનોપાસનાનો એક ખ્યાલ આ પરથી આવે છે, તે ઉપરાંત અન્ય ભાષાની કૃતિઓને તેમજ ગુજરાતી ભાષાની કઠિન કે તત્વાર્થભરી રચનાઓની સમજૂતી કરવામાં લોકશિક્ષણના એક મહાપ્રયત્નની પણ ઝાંખી થાય છે. સં. ૧૩૩૦ (ઈ.સ. ૧૨૭૪) માં આશાપલ્લીમાં લખાયેલ “આરાધના' ઉપલબ્ધ ગદ્ય કૃતિઓમાં સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે, તેમાં સંસ્કૃતમય ગદ્યનો નમૂનો જોવા મળે છે. સં. ૧૩૪૦ (ઈ. ૧૨૮૪) ના અરસામાં લખાયેલી “અતિચાર' નામની ગદ્યકૃતિ પણ આ જ પ્રકારની મળે છે. સં. ૧૩૫૮ (ઈ.સ. ૧૩૦૨) માં લખાયેલું “સર્વતીર્થ નમસ્કાર સ્તવન બાલાવબોધ પણ છે. વળી એ જ અરસામાં લખાયેલા ‘નવકારવ્યાખ્યાન' નો આરંભ પ્રસ્તુત ષડાવશ્યક બાલાવબોધના આરંભ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. “જો મરિહંતાઈi I? માહરઉ નમસ્કાર અરિહંત હઉ. કિસા જિ અરિહંતઃ રાગે રૂપિઆ અરિ વયરિ જેહિ હણિયા, અથવા ચતુષ્ટિ ઈંદ્રસંબંધિની પૂજા મહિમા અરિહઈ, જિ ઉત્પન્ન દિવ્ય વિમલ કેવલજ્ઞાન, ચઉન્નીસ અતિશયિ સમન્વિત, અષ્ટમહાપ્રાતિહાર્યશોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિહરમાન તીહ અરિહંત ભગવંત માહરઉં નમસ્કારુ હઉ.” વિવરણો કેમ લખાતાં એનો એક સારો નમૂનો અહીં જોવા મળે છે. પછીના સમયનાં અનેક વિવરણો અને ભાષાન્તરોમાં એ પદ્ધતિ વ્યાપક છે. એ ખંડાન્વયપદ્ધતિ છે, જેમાં મુખ્ય વાક્ય કે વિધાન રજૂ કર્યા પછી, જુદા જુદા પ્રશ્નો કરી એના સ્પષ્ટીકરણરુપે વિવરણ થતું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy