SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૪૧ ધન શેઠ સસરાનાં ગામ તરફ જવા તૈયાર થયો. રસ્તામાં ખાવા માટે પત્નીએ તૈયાર કરેલું સાથવાનું ભાતું રાખી લીધું. પહેલા દિવસે ઉપવાસ હતો. બીજા દિવસે ભાતું વાપરતાં પહેલાં, “કોઈ મુનિ આવી ચડે તો વહોરાવીને પછી ભાથું વાપરું. આ પ્રમાણે ઈચ્છા કરતાં જ પુણ્યોદયે એક માસક્ષમણ કરેલા તપસ્વી સાધુ ફરતાં ફરતાં ભિક્ષા લેવા માટે આવી ચડ્યા. શેઠે પોતાની પાસેના ભાતાનું દાન દઈ દીધું. ત્રીજા દિવસે ઉપવાસ કર્યો. ચોથા દિવસે શેઠ સાસરે પહોંચી ગયા. સસરા પાસે ધનની માંગણી આજીજીપૂર્વક કરી. પરંતુ નિધન જાણીને દ્રવ્ય પાછું નહીં આવી શકે, એમ સમજીને કાંઈ પણ ધન સસરાએ આપ્યું નહીં. પછી ધન શેઠ નિરાશ થઈને પાછો પોતાના વતન તરફ જવા માટે ઉપડ્યો. રસ્તામાં નદીના કિનારે બેઠોબેઠો વિચાર કરવા લાગ્યો. કે મારી પત્નીએ પિયરથી ધન મલશે એ આશાએ મને મોકલ્યો હતો. મને ખાલી હાથે આવેલો જાણી તે નિરાશ થઈ જશે. એમ વિચાર કરીને કાંઠાના કાંકરા લઈ પોટલું બાંધી ઘેર પહોંચ્યો. પોટલું પોતાની પત્નીને આપ્યું. સ્ત્રી, ધન ભરેલું પોટલું જાણી આનંદિત થઈ. પોટલામાંના કાંકરાના શેઠે માસક્ષમણના ઉપવાસી મુનિ મહારાજને આપેલા દાનના પ્રભાવે, શાસનદેવે દિવ્યરત્નો બનાવી દીધા. તેમાંથી એક રત્ન કહાડી સ્ત્રીએ, અનાજ વગેરે વસ્તુઓ લાવી સુંદર રસોઈ બનાવી. શેઠ વિસ્મય પામી ગયો. ભોજન કર્યું, રાત્રે પથારીમાં સૂતાં-સૂતાં ધન શેઠ વિચાર કરવા લાગ્યો કે, આ કાંકરાના બદલે રત્ન કઈ રીતે થઈ ગયા ? તે વખતે શાસનદેવે પ્રગટ થઈને કહ્યું કે, તે રસ્તામાં જે સુપાત્રદાન દીધું હતું તેના પ્રતાપે, મેં કાંકરાને બદલે રત્નો કરી દીધાં છે'. પછી શેઠ રત્નોથી ધનવાન વ્યાપારી થયો. ધર્મ પાળી મોક્ષે ગયો. એમ જાણી અતિથિવિભાગ વ્રતનો આદર કરો. દશાર્ણભદ્ર રાજાની કથા દશાર્ણ નામના નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાની પાસે ચક્રવર્તિની માફક પુષ્કળ ઋદ્ધિ હતી. એક વખતે શ્રી મહાવીર પ્રભુ દશાર્ણપુરની નજીકના ઉદ્યાનમાં સમોસર્યા. વનપાલકે ઉદ્યાનમાં પ્રભુ પધાર્યાની રાજાને વધામણી આપી. શ્રી મહાવીર પ્રભુને આવ્યા સાંભળી દશાર્ણભદ્ર રાજા ખૂબ આનંદિત થયો. મનમાં વિચાર્યું કે, હું પ્રભુને ખૂબ ધામધૂમથી વંદન કરવા જાઉં. બીજા કોઈએ પણ પ્રભુને આજ સુધી વંદન ના કર્યું હોય, તેવી રીતે હું પ્રભુને વંદના કરવા જાઉં. પ્રભુને વંદન કરવા જવા માટે, ઐરાવણ હાથી જેવા અઢાર હજાર હાથી, ચોવીસ લાખ ઘોડા, એકવીસ હજાર રથ, એક હજાર પાલખી, સોળ હજાર ધજાઓ, પાંચસો રાણીઓ, વગેરે પરિવારથી પરિવરેલો રાજા, દશાર્ણભદ્ર મોટા આડંબરથી પ્રભુને વંદન કરવા જવા માટે નીકળ્યો. તે વખતે સૌધર્મેન્દ્ર તેનો ઋદ્ધિનો ગર્વ ઊતારવા માટે, ચોસઠ હજાર ધોળા ઉત્તમ હાથી વિદુર્ગા. દરેક હાથીને પાંચસો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy