SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ યોગીએ સ્મશાનમાં જઈને એક ગોળ કુંડાળું બનાવ્યું. મડદાના હાથમાં એક તલવાર આપી, અને યોગીએ શિવકુમારને કહ્યું કે :-‘આ મડદાના પગનાં તળીયા તું ઘસ' એમ કહી યોગીએ મંત્રનો જપ તથા હોમિધિ શરૂ કરી. આ દશ્ય જોઈને શિવકુમાર વિચારવા લાગ્યો કે :-‘આ ધૂર્તયોગીએ, મને મારી નાંખવાનો સંકલ્પ કર્યો હોય એમ લાગે છે. મરણાંત સંકટમાં આવી પડેલા શિવકુમારને પિતાજીની અંત સમયની શિખામણ યાદ આવી. તેથી શુદ્ધ અંતઃકરણથી એકાગ્રચિત્તે તે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ૧૨૧ યોગીના મંત્ર જાપના બળથી મડદું જરાજરા સળવળીને ઊભું થવા લાગ્યું, પરંતુ નમસ્કાર મહામંત્રના જાપના પ્રભાવથી પાછું પળી ગયું. આ પ્રમાણે મડદું પાછું પડવાથી યોગી વિચારવા લાગ્યો કે, મારા જાપમાં કાંઈક ઉણપ રહી હોય તેમ લાગે છે. તેથી એકાગ્રચિત્તે ફરીને મંત્રનો જાપ કરવા લાગ્યો. જાપના બળથી મડદું ફરી ઊભું થવા લાગ્યું, અને પાછું પડી ગયું. તે વખતે યોગી ભય પામીને, શિવકુમારને કહેવા લાગ્યો કે : ‘હે શિવકુમાર ! તને કોઈ મંત્ર આવડે છે ?' શિવકુમારે ના કહી અને પોતાના હૃદયમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચાલુ રાખ્યું. યોગીના જાપના બળથી વૈતાલથી અધિષ્ઠિત થએલું મડદું ઊભું થયું, પરંતુ નમસ્કાર મહામંત્રના જાપના પ્રતાપે, ક્રોધિત થએલા તે મડદાંએ, શિવકુમારના બદલે તે યોગીનું મસ્તક છેદી નાંખ્યું. મંત્રના પ્રભાવે, તે યોગી મરીને સુવર્ણપુરૂષ થઈ ગયો. તે સુવર્ણપુરૂષને સ્મશાનમાં છુપાવી સવાર થતાં, નગરમાં આવીને, આ સઘળી બીના શિવકુમારે દમિતારિ રાજાને કહી. રાજાનો હુકમ મેળવીને, શિવકુમાર તે સુવર્ણપુરૂષને ધામધૂમપૂર્વક પોતાના ઘેર લાવ્યો. તે સુવર્ણપુરૂષનું મસ્તક અને ગરદનનો ભાગ બાકી રાખીને શિવકુમાર દરરોજ બીજા અંગોપાંગનું સોનું કાપીને સદ્માર્ગે વા૫૨વા લાગ્યો. રોજ સવારે દેવના પ્રભાવથી, તે સુવર્ણપુરૂષનાં અંગોપાંગ નવા થઈ જતાં હતાં. આ પ્રમાણે કરતાં શિવકુમાર મોટી સમૃદ્ધિવાળો થઈ ગયો. વળી, તે દિવસે દિવસે ધર્મનું વધારે ઉત્સાહપૂર્વક સેવન કરવા લાગ્યો. અનુક્રમે ગુરૂ મહારાજના ઉપદેશથી, શિવકુમારે સુવર્ણમય જિનમંદિર કરાવીને, તેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુની મણિમય મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ચિરકાળ ધર્મની આરાધના કરીને, અંત સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો કરતો, શિવકુમાર દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંતી ચ્યવીને મનુષ્ય જન્મ પામીને મોક્ષસુખને પામ્યો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy