SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ફૂલની માળા થઈ ગઈ. તે અલૌકિક ફૂલની માળા લઈને, શ્રીમતીએ પોતાના પતિને આપી. આવી અલૌકિક ફૂલની માળા જોઈને, તેણીનો પતિ મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ શું થયું ? પછી તપાસ કરતાં ઘડામાં સર્પને નહીં જોવાથી, તેણીના પતિને ખાત્રી થઈ કે આ સતી સ્ત્રી નિર્દોષ છે. અને તેણીના ધર્મ પ્રતાપે જ આ ફૂલમાં માળા, દેવોએ સર્પના બદલે બનાવી હોય એમ લાગે છે. પોતાનાં સ્વજનોને એકઠાં કરીને, આ બધી વાતથી વાકેફ કર્યા અને શ્રીમતીનાં પ્રત્યે સઘળાં સ્નેહભાવ ધારણ કરવા લાગ્યાં. એક વખતે, અવસર પામીને, શ્રીમતીએ પોતાના પતિને જૈનધર્મ સમજાવ્યો. તેણીનાં ગુણોથી ચમત્કાર પામેલા તેણીના પતિએ, ગુરું મહારાજ પાસે જઈને શ્રાવકના બારવ્રત ઉંચર્યાં. કેટલોક સમય શ્રાવકધર્મ પાળી, બંને જણાએ દીક્ષા લીધી. યાવજ્જીવન સાધુધર્મ આરાધી, અંતે અનશન કરીને બંને કાળધર્મ પામીને મોક્ષે ગયાં. શિવકુમારની કથા રત્નપુર નામના નગરમાં યશોભદ્ર નામનો એક શ્રાવક રહેતો હતો. તે યશોભદ્રને સાતે વ્યસનોમાં આસક્ત શિવકુમાર નામનો એક પુત્ર હતો. યશોભદ્રે પોતાના પુત્રને વ્યસનો છોડવા માટે ઘણું સમજાવ્યો, છતાં પણ તે પુત્રે વ્યસનો છોડ્યાં નહીં. = અનુક્રમે, પોતાનો અંતસમય નજીક જાણી યશોભદ્રે પોતાના પુત્રને પોતાની નજીક બોલાવી અને કહ્યું કે ‘હે પુત્ર ! જે વખતે તને ઓચિંતુ સંકટ ઉપસ્થિત થાય ત્યારે, શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ કરજે.' શિવકુમારે પિતાની દાક્ષિણ્યતાથી તે શિખામણ માન્ય રાખી. યશોભદ્ર શ્રાવક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો કરતો દેવલોક પામ્યો. પિતાના મરણ પછી શિવકુમારે પોતાના વારસામાં મળેલી સઘળી લક્ષ્મી જુગાર વગેરે વ્યસનોમાં ગુમાવી દીધી. એક વખતે એક ધૂર્તયોગી શિવકુમારને મલ્યો. શિવકુમારે ભોળા ભાવે પોતાની નિર્ધનાવસ્થાની તેને વાત કરી. તે યોગીએ ભોળા શિવકુમારને કહ્યું કે :-‘જો તું મારા કહેવા પ્રમાણે કરે તો તને ક્ષણમાં ધનવાન બનાવી દઉં.' શિવકુમારે યોગીના કહેવા પ્રમાણે ક૨વાની તત્પરતા બતાવી. કેટલોક સમય વીતી ગયા પછી, તે યોગીએ શિવકુમાર પાસે એક મડદું મંગાવ્યું, અને તે મડદાં સાથે કાળી ચૌદશની મધ્યરાત્રિએ બંને જણા સ્મશાનભૂમિમાં ગયા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy