SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રશ્ર હે ભગવન્! વૈમાનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનસ્કુમાર દેવો સંબંધે પણ એમ જ કહેવું, પરંતુ અસંખ્યાત વર્ષના આયુષવાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્-સહસ્ત્રાર કલ્પોપન્ન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. ૫. રાયપસેણિય (રાજપશ્રીય) નામ અને અર્થ સૂયગડના ઉવંગ તરીકે ઓળખાવતા આ આગમનાં વિવિધ નામો છે. નંદીની મુદ્રિત આવૃત્તિમાં રાયપસેણિય નામ છે. જ્યારે એની કેટલીક હાથપોથીમાં રાયપસેણઈએ એવું નામ જોવાય છે. પકિખયસુત્તમાં આનો રાયખસેણઈય' તરીકે અને વિયાહ૦ (સુ. ૧૩૩)માં તેમજ આવસ્મયચુર્ણિ (ભા. ૧, પત્ર ૧૪૨)માં “રાયખસેણઈજ્જ' તરીકે ઉલ્લેખ છે. સિહસેનગણિએ અને હરિભદ્રસૂરિએ એને “રાજપ્રસેનકીય' તરીકે, વાદી દેવસૂરિના ગુરૂ મુનિચંદ્રસૂરિએ“રાજપ્રસેનજિત' તરીકે, અભયદેવસૂરીએ રાજપશ્રકૃતિ તરીક અને મલયગિરિસૂરિએ “રાજપ્રશ્રય” તરીકે ઓળખાવેલ છે. આ આગમમાં પએસી (પ્રદેશી) રાજા કેસી (કેશી) ગણધરને પ્રશ્ન પૂછે છે કે એ હકીકતને અનુલક્ષીને “રાજપ્રશ્રય' નામ યોજાયું છે એમ મલયગિરિસૂરિ આ આગમની વૃત્તિમાં કહે છે. એ ઉપરથી એમણે આનું પઈય નામ “રાયપાસેણીએ” કયું હોય એમ લાગે છે. દીઘનિકાયના સુત્તપિટકમાં પાયાસિસુત્તમાં પસેનદીઅ (પ્રસેનજિત) રાજાએ આપેલા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy