SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પ્રશ્ર ઉત્તર હોય છે? પાંચ - દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને નારકોની પેઠે જાણવું. હે ભગવન! ગતિપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે.? હે ગૌતમ! બે પ્રકારનો – સ્પેશગતિપરિણામ અને અસ્પૃશગતિ પરિણામ અથવા દીર્ઘગતિપરિણામ અને સ્વગતિપરિણામ. હે ભગવન! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર - પરિમંડલસંસ્થાનપરિણામ, યાવતુ-આયતસંસ્થાનપરિણામ. હે ભગવન! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો – ખંડભેદ પરિણામ અને યાવત્ ઉત્કારિકા ભેદ પરિણામ. હે ભગવન! વર્ણ પરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે - કૃષ્ણવર્ણપરિણામ, થાવત્ શુક્લવર્ણપરિણામ. હે ભગવન! ગંધપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. સુરભિગધપરિણામ અને દુરભિગધપરિણામ. હે ભગવન! રસપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે તિક્તરસપરિણામ, યાવત્ મધુરસપરિણામ. હે ભગવન! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગોતમ! આઠ પ્રકારનો કર્કશસ્પર્શપરિણામ, યાવત્ રુક્ષસ્પર્શ પરિણામ. હે ભગવન્! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક પ્રકારનો છે. હે ભગવન! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! બે પ્રકારનો. સુરભિશબ્દપરિણામ અને દુરભિશબ્દપરિણામ એમ અજીવપરિણામ કહ્યો. (૫૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy