SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ગુરૂદેવ ધન્ય તપસ્વી ધન્ય અણગાર અનેકાનેક તીર્થોદ્ધારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શાંતમૂર્તિ સમયજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રાકૃતિવિશારદ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર તપોનિધિ તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુમુદચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તપશ્ચર્યાની નોંધ. તપોધિરાજ'ની તાજને શોભાવી જનારા શ્રી કુમુદચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તપસ્વીના બિરૂદને શોભાવવું એ પણ ખાણી-પીણીના અને મોજમજાના આ યુગમાં જરાય સહેલું નથી. તો પછી તપસ્વી-તપોધિરાજના બિરૂદને શોભાવવાની વાત તો સહેલી હોય જ ક્યાંથી? પણ આ યુગમાં આપણે એવા એક તપસ્વીના દર્શન કરવા બડભાગી બન્યા કે, તપોધિરાજના તાજને પણ શોભાવી ગયા, તપોધિરાજના તાજને શોભાવી જનારાએ મહાતપસ્વીનું પુણ્ય નામ હતું, શ્રી કુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજા. તપ એમના જીવનમાં વણાયેલો હતો, એમ કહેવું વ્યાજબી નહિ ગણાય પણ તપ જ એમનું જીવન હતું, એમ કહેવાથી એ મહાપુરૂષની થોડીક પણ સાચી ઓળખાણ આપ્યાનો સંતોષ અનુભવી શકાય. એમની તપશ્ચર્યાનું થોડું ઘણું તારણ નીચે પ્રસ્તુત છે, જેમાં પૂજ્યશ્રીના જીવની અમુક વિશેષતાઓ પણ સાથે સાથે સંકલિત છે. * નવકાર મહામંત્રના સળંગ ૬૮ ઉપવાસ (બાંધી ૨૦ માળા સાથે) નવકાર મહામંત્રના પદ મુજબ ૬૮ ઉપવાસ (”). આયંબિલના પારણાવાળા ૧૭ સિદ્ધિતપ (') Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy