SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ નામના પાપોનું વિશદ વર્ણન છે. બીજા પાંચ અધ્યયનોમાં અહિંસાદિ પાંચ સંવરોનું ધર્મોનું પણ એ જ શૈલીમાં જ્ઞાનવિજ્ઞાનનું ભરપૂર વર્ણન છે. મોક્ષાર્થી જીવે પાંચ આશ્રયોનો ત્યાગ કરવો અને પાંચ સવરોનું સેવન કરવું એ આ અંગ શાસ્ત્રનો સાર છે. પ્રશ્ન વ્યાકરણ ગ્રંથ દ્વારા જ્ઞાની ભગવંતો સંસારનું મૂળ કારણ, મૂળ નિદાન જણાવે છે અને તે આશ્રવ છે. અને આ સંસારનો અંત આણનાર સંવર છે. આમ આશ્રવ અને સંવરના વિશિષ્ટ કોટીના જ્ઞાનયુક્ત આ ગ્રંથની ઉપયોગિતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દ્રવ્ય હિંસા અને ભાવહિંસાનું સ્વરૂપ - દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ : પ્રમત્ત યો, વ્યવરપur હિંસા (તત્વાર્થ સૂત્ર) શ્રદ્ધા સંપન્નશ્રી જંબૂસ્વામીએ પૂછયું, “હે ગુરુદેવ! કૃપા કરીને ફરમાવો કે ભગવંતે આશ્રવ અને સંવર તત્ત્વની શી રીતે કરી છે?' જવાબમાં સુધર્માસ્વામીજીએ તેની સ્પષ્ટતા કરી છે. આ કારણે જ જંબુસ્વામીથી પૂછાયેલા પ્રશ્નોનું વ્યાકરણ એટલે સ્પષ્ટીકરણ આ દશમાં અંગમાં થયેલું હોવાથી દશમા અંગનું નામ “પ્રશ્ન વ્યાકરણ” યથાર્થ છે. શાબ્દિક અને આર્થિક રૂપે વ્યાકરણ બે પ્રકારનાં છે. જે શબ્દોની સિદ્ધિ કરે જેમ કે ઇકોમર્ણાય, ઇય સ્વરે, ઇવર્ણા દેરસ્વ સ્વરે યવરલ, ઈત્યાદિ વ્યાકરણો તો છદ્મસ્થો પણ બનાવી શકે છે પણ તેનાથી માનવતા, દયા, દાન, બ્રહ્મચર્ય નીતિમત્તા વગેરે આત્મિક ધર્મોની પ્રાપ્તિ પણ થઈ શકે તેમ નથી અને તે વિના ધુરંધર વિદ્વાનું પણ અબુદ્ધ છે. આર્થિક વ્યાકરણની વ્યાખ્યા આ પ્રમાણે છે : વ્યા ક્રિયતે પ્રશ્નોત્તર મુત્તરવયાડમિધીયતે નિર્ણાયકત્વેન યત્તતથા વ્યાકરણ ૩૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy